Panchastikay Sangrah (Gujarati). Kaldravyastikay Vyakhyan Gatha: 100.

< Previous Page   Next Page >


Page 146 of 256
PDF/HTML Page 186 of 296

 

૧૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ कालद्रव्यव्याख्यानम्
कालो परिणामभवो परिणामो दव्वकालसंभूदो
दोण्हं एस सहावो कालो खणभंगुरो णियदो ।।१००।।
कालः परिणामभवः परिणामो द्रव्यकालसम्भूतः
द्वयोरेष स्वभावः कालः क्षणभङ्गुरो नियतः ।।१००।।
व्यवहारकालस्य निश्चयकालस्य च स्वरूपाख्यानमेतत
तत्र क्रमानुपाती समयाख्यः पर्यायो व्यवहारकालः, तदाधारभूतं द्रव्यं निश्चयकालः तत्र

व्यवहारकालो निश्चयकालपर्यायरूपोपि जीवपुद्गलानां परिणामेनावच्छिद्यमानत्वात्तत्परिणामभव इत्युपगीयते, जीवपुद्गलानां परिणामस्तु बहिरङ्गनिमित्तभूतद्रव्यकालसद्भावे सति सम्भूतत्वार्द्दरव्य- कालसम्भूत इत्यभिधीयते तत्रेदं तात्पर्यंव्यवहारकालो जीवपुद्गलपरिणामेन निश्चीयते,

હવે કાળદ્રવ્યનું વ્યાખ્યાન છે.
પરિણામભવ છે કાળ, કાળપદાર્થભવ પરિણામ છે;

આ છે સ્વભાવો ઉભયના; ક્ષણભંગી ને ધ્રુવ કાળ છે. ૧૦૦.

અન્વયાર્થઃ[ कालः परिणामभवः ] કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે (અર્થાત વ્યવહારકાળ જીવ-પુદ્ગલોના પરિણામથી મપાય છે); [ परिणामः द्रव्यकालसम्भूतः ] પરિણામ દ્રવ્યકાળથી ઉત્પન્ન થાય છે.[ द्वयोः एषः स्वभावः ] આ, બંનેનો સ્વભાવ છે. [ कालः क्षणभङ्गुरः नियतः ] કાળ ક્ષણભંગુર તેમ જ નિત્ય છે.

ટીકાઃઆ, વ્યવહારકાળ તથા નિશ્ચયકાળના સ્વરૂપનું કથન છે.

ત્યાં, ‘સમય’ નામનો જે ક્રમિક પર્યાય તે વ્યવહારકાળ છે; તેના આધારભૂત દ્રવ્ય તે નિશ્ચયકાળ છે.

ત્યાં, વ્યવહારકાળ નિશ્ચયકાળના પર્યાયરૂપ હોવા છતાં જીવ-પુદ્ગલોના પરિણામથી મપાતોજણાતો હોવાને લીધે ‘જીવ-પુદ્ગલોના પરિણામથી ઉત્પન્ન થતો’ કહેવાય છે; અને જીવ-પુદ્ગલોના પરિણામ બહિરંગ-નિમિત્તભૂત દ્રવ્યકાળના સદ્ભાવમાં ઉત્પન્ન થતા હોવાને લીધે ‘દ્રવ્યકાળથી ઉત્પન્ન થતા’ કહેવાય છે. ત્યાં, તાત્પર્ય એ છે કેવ્યવહારકાળ જીવ- પુદ્ગલોના પરિણામ વડે નક્કી થાય છે; અને નિશ્ચયકાળ જીવ-પુદ્ગલોના પરિણામની