व्यवहारकालो निश्चयकालपर्यायरूपोपि जीवपुद्गलानां परिणामेनावच्छिद्यमानत्वात्तत्परिणामभव इत्युपगीयते, जीवपुद्गलानां परिणामस्तु बहिरङ्गनिमित्तभूतद्रव्यकालसद्भावे सति सम्भूतत्वार्द्दरव्य- कालसम्भूत इत्यभिधीयते । तत्रेदं तात्पर्यं — व्यवहारकालो जीवपुद्गलपरिणामेन निश्चीयते,
– આ છે સ્વભાવો ઉભયના; ક્ષણભંગી ને ધ્રુવ કાળ છે. ૧૦૦.
અન્વયાર્થઃ — [ कालः परिणामभवः ] કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે (અર્થાત્ વ્યવહારકાળ જીવ-પુદ્ગલોના પરિણામથી મપાય છે); [ परिणामः द्रव्यकालसम्भूतः ] પરિણામ દ્રવ્યકાળથી ઉત્પન્ન થાય છે. — [ द्वयोः एषः स्वभावः ] આ, બંનેનો સ્વભાવ છે. [ कालः क्षणभङ्गुरः नियतः ] કાળ ક્ષણભંગુર તેમ જ નિત્ય છે.
ત્યાં, ‘સમય’ નામનો જે ક્રમિક પર્યાય તે વ્યવહારકાળ છે; તેના આધારભૂત દ્રવ્ય તે નિશ્ચયકાળ છે.
ત્યાં, વ્યવહારકાળ નિશ્ચયકાળના પર્યાયરૂપ હોવા છતાં જીવ-પુદ્ગલોના પરિણામથી મપાતો — જણાતો હોવાને લીધે ‘જીવ-પુદ્ગલોના પરિણામથી ઉત્પન્ન થતો’ કહેવાય છે; અને જીવ-પુદ્ગલોના પરિણામ બહિરંગ-નિમિત્તભૂત દ્રવ્યકાળના સદ્ભાવમાં ઉત્પન્ન થતા હોવાને લીધે ‘દ્રવ્યકાળથી ઉત્પન્ન થતા’ કહેવાય છે. ત્યાં, તાત્પર્ય એ છે કે — વ્યવહારકાળ જીવ- પુદ્ગલોના પરિણામ વડે નક્કી થાય છે; અને નિશ્ચયકાળ જીવ-પુદ્ગલોના પરિણામની