मेवानुगन्तुमुद्यमते । ततोऽस्य क्षीयते द्रष्टिमोहः । ततः स्वरूपपरिचयादुन्मज्जति ज्ञानज्योतिः । ततो रागद्वेषौ प्रशाम्यतः । ततः उत्तरः पूर्वश्च बन्धो विनश्यति । ततः पूनर्बन्धहेतुत्वाभावात् स्वरूपस्थो नित्यं प्रतपतीति ।।१०४।।
અન્વયાર્થઃ — [ जीवः ] જીવ [ एतद् अर्थं ज्ञात्वा ] આ અર્થને જાણીને ( – આ શાસ્ત્રના અર્થભૂત શુદ્ધાત્માને જાણીને), [ तदनुगमनोद्यतः ] તેને અનુસરવાનો ઉદ્યમ કરતો થકો [ निहतमोहः ] હતમોહ થઈને ( – જેને દર્શનમોહનો ક્ષય થયો હોય એવો થઈને), [ प्रशमितरागद्वेषः ] રાગદ્વેષને પ્રશમિત ( – નિવૃત્ત) કરીને, [ हतपरापरः भवति ] ઉત્તર અને પૂર્વ બંધનો જેને નાશ થયો છે એવો થાય છે.
પ્રથમ, કોઈ જીવ આ શાસ્ત્રના અર્થભૂત શુદ્ધચૈતન્યસ્વભાવવાળા (નિજ) આત્માને જાણે છે; તેથી (પછી) તેને જ અનુસરવાનો ઉદ્યમ કરે છે; તેથી તેને દ્રષ્ટિમોહનો ક્ષય થાય છે; તેથી સ્વરૂપના પરિચયને લીધે જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે; તેથી રાગદ્વેષ પ્રશમી જાય છે ( — નિવૃત્ત) થાય છે; તેથી ઉત્તર અને પૂર્વ ( – પછીનો અને પહેલાંનો) બંધ વિનાશ પામે છે; તેથી ફરીને બંધ થવાના હેતુપણાનો અભાવ હોવાથી સ્વરૂપસ્થપણે સદા પ્રતપે છે — પ્રતાપવંત વર્તે છે (અર્થાત્ તે જીવ સદાય સ્વરૂપસ્થિત રહી પરમાનંદજ્ઞાનાદિરૂપે પરિણમે છે). ૧૦૪.
આ રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્રની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત) સમયવ્યાખ્યા નામની ટીકામાં ષડ્દ્રવ્યપંચાસ્તિકાયવર્ણન નામનો પ્રથમ શ્રુતસ્કંધ સમાપ્ત થયો.