रागद्वेषापरिहीणम्, मोक्षस्यैव न भावतो बंधस्य, मार्ग एव नामार्गः, भव्यानामेव नाभव्यानां, लब्धबुद्धीनामेव नालब्धबुद्धीनां, क्षीणकषायत्वे भवत्येव न कषायसहितत्वे भवतीत्यष्टधा नियमोऽत्र द्रष्टव्यः ।।१०६।।
અન્વયાર્થઃ — [ सम्यक्त्वज्ञानयुक्तं ] સમ્યક્ત્વ અને જ્ઞાનથી સંયુક્ત એવું [ चारित्रं ] ચારિત્ર — [ रागद्वेषपरिहीणम् ] કે જે રાગદ્વેષથી રહિત હોય તે, [ लब्धबुद्धीनाम् ] લબ્ધબુદ્ધિ [ भव्यानां ] ભવ્યજીવોને [ मोक्षस्य मार्गः ] મોક્ષનો માર્ગ [ भवति ] હોય છે.
સમ્યક્ત્વ અને જ્ઞાનથી યુક્ત જ — નહિ કે અસમ્યક્ત્વ અને અજ્ઞાનથી યુક્ત, ચારિત્ર જ — નહિ કે અચારિત્ર, રાગદ્વેષ રહિત હોય એવું જ (ચારિત્ર) — નહિ કે રાગદ્વેષ સહિત હોય એવું, મોક્ષનો જ — ૧ભાવતઃ નહિ કે બંધનો, માર્ગ જ — નહિ કે અમાર્ગ, ભવ્યોને જ — નહિ કે અભવ્યોને, ૨લબ્ધબુદ્ધિઓને જ — નહિ કે અલબ્ધ- બુદ્ધિઓને, ૩ક્ષીણકષાયપણામાં જ હોય છે — નહિ કે કષાયસહિતપણામાં હોય છે. આમ આઠ પ્રકારે નિયમ અહીં દેખવો (અર્થાત્ આ ગાથામાં ઉપરોક્ત આઠ પ્રકારે નિયમ કહ્યો છે એમ સમજવું). ૧૦૬. ૧. ભાવતઃ=ભાવ અનુસાર; આશય અનુસાર. (‘મોક્ષનો’ કહેતાં જ ‘બંધનો નહિ’ એવો ભાવ અર્થાત્
આશય સ્પષ્ટ સમજાય છે.) ૨. લબ્ધબુદ્ધિ=જેમણે બુદ્ધિ પ્રાપ્ત કરી હોય એવા. ૩. ક્ષીણકષાયપણામાં જ=ક્ષીણકષાયપણું હોતાં જ; ક્ષીણકષાયપણું હોય ત્યારે જ. [સમ્યક્ત્વજ્ઞાનયુક્ત