प्रविशतां पुद्गलानाञ्च संवरः । कर्मवीर्यशातनसमर्थो बहिरङ्गान्तरङ्गतपोभिर्बृंहितशुद्धोप-
सम्मूर्च्छनं पुद्गलानाञ्च बन्धः । अत्यन्तशुद्धात्मोपलम्भो जीवस्य, जीवेन सहात्यन्तविश्लेषः
જીવ અને પુદ્ગલના સંયોગપરિણામથી નીપજતા સાત બીજા પદાર્થો છે. (તેમનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છેઃ – ) જીવના શુભ પરિણામ (તે પુણ્ય છે) તેમ જ તે (શુભ પરિણામ) જેનું નિમિત્ત છે એવા પુદ્ગલોના કર્મપરિણામ ( – શુભકર્મરૂપ પરિણામ) તે પુણ્ય છે. જીવના અશુભ પરિણામ (તે પાપ છે) તેમ જ તે (અશુભ પરિણામ) જેનું નિમિત્ત છે એવા પુદ્ગલોના કર્મપરિણામ ( – અશુભકર્મરૂપ પરિણામ) તે પાપ છે. જીવના મોહરાગદ્વેષરૂપ પરિણામ (તે આસ્રવ છે) તેમ જ તે (મોહરાગદ્વેષરૂપ પરિણામ) જેનું નિમિત્ત છે એવા જે યોગ દ્વારા પ્રવેશતાં પુદ્ગલોના કર્મપરિણામ તે આસ્રવ છે. જીવના મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ (તે સંવર છે) તેમ જ તે (મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ) જેનું નિમિત્ત છે એવો જે યોગ દ્વારા પ્રવેશતાં પુદ્ગલોના કર્મપરિણામનો નિરોધ તે સંવર છે. કર્મના વીર્યનું ( – કર્મની શક્તિનું) ૧શાતન કરવામાં સમર્થ એવો જે બહિરંગ અને અંતરંગ (બાર પ્રકારનાં) તપો વડે વૃદ્ધિ પામેલો જીવનો શુદ્ધોપયોગ (તે નિર્જરા છે) તેમ જ તેના પ્રભાવથી ( – વૃદ્ધિ પામેલા શુદ્ધોપયોગના નિમિત્તથી) નીરસ થયેલાં એવાં ઉપાર્જિત કર્મપુદ્ગલોનો એકદેશ ૨સંક્ષય તે નિર્જરા છે. જીવના, મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ પરિણામ (તે બંધ છે) તેમ જ તેના ( – સ્નિગ્ધ પરિણામના) નિમિત્તથી કર્મપણે પરિણત પુદ્ગલોનું જીવની સાથે અન્યોન્ય અવગાહન ( – વિશિષ્ટ શક્તિ સહિત એકક્ષેત્રાવગાહસંબંધ) તે બંધ છે. જીવની અત્યંત શુદ્ધ આત્મોપલબ્ધિ (તે મોક્ષ છે) તેમ જ કર્મપુદ્ગલોનો જીવથી અત્યંત ૧. શાતન કરવું=પાતળું કરવું; હીન કરવું; ક્ષીણ કરવું; નષ્ટ કરવું. ૨. સંક્ષય=સમ્યક્ પ્રકારે ક્ષય