नोइन्द्रियावरणोदये च सत्येकेन्द्रिया अमनसो भवन्तीति ।।११२।।
અન્વયાર્થઃ — [ एते ] આ [ पृथिवीकायिकाद्याः ] પૃથ્વીકાયિક વગેરે [ पञ्चविधाः ] પાંચ પ્રકારના [ जीवनिकायाः ] જીવનિકાયોને [ मनःपरिणामविरहिताः ] મનપરિણામરહિત [ एकेन्द्रियाः जीवाः ] એકેંદ્રિય જીવો [ भणिताः ] (સર્વજ્ઞે) કહ્યા છે.
પૃથ્વીકાયિક વગેરે જીવો, સ્પર્શનેંદ્રિયના ( – ભાવસ્પર્શનેંદ્રિયના) આવરણના ક્ષયોપશમને લીધે તથા બાકીની ઇન્દ્રિયોના ( – ચાર ભાવેંદ્રિયોના) આવરણનો ઉદય તેમ જ મનના ( – ભાવમનના) આવરણનો ઉદય હોવાથી, મનરહિત એકેંદ્રિય છે. ૧૧૨.
અન્વયાર્થઃ — [ अण्डेषु प्रवर्धमानाः ] ઇંડાંમાં વૃદ્ધિ પામતાં પ્રાણીઓ, [ गर्भस्थाः ] ગર્ભમાં રહેલાં પ્રાણીઓ [ च ] અને [ मूर्च्छां गताः मानुषाः ] મૂર્છા પામેલા મનુષ્યો, [ याद्रशाः ] જેવાં (બુદ્ધિપૂર્વક વ્યાપાર વિનાનાં) છે, [ ताद्रशाः ] તેવા [ एकेन्द्रियाः जीवाः ] એકેંદ્રિય જીવો [ ज्ञेयाः ] જાણવા.