एते स्पर्शनरसनेन्द्रियावरणक्षयोपशमात् शेषेन्द्रियावरणोदये नोइन्द्रियावरणोदये च सति स्पर्शरसयोः परिच्छेत्तारो द्वीन्द्रिया अमनसो भवन्तीति ।।११४।।
सति स्पर्शरसगन्धानां परिच्छेत्तारस्त्रीन्द्रिया अमनसो भवन्तीति ।।११५।।
સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિયના ( – એ બે ભાવેન્દ્રિયોના) આવરણના ક્ષયોપશમને લીધે તથા બાકીની ઇન્દ્રિયોના ( – ત્રણ ભાવેન્દ્રિયોના) આવરણનો ઉદય તેમ જ મનના ( – ભાવમનના) આવરણનો ઉદય હોવાથી સ્પર્શ અને રસને જાણનારા આ (શંબૂક વગેરે) જીવો મનરહિત દ્વીન્દ્રિય જીવો છે. ૧૧૪.
અન્વયાર્થઃ — [ यूकाकुम्भीमत्कुणपिपीलिकाः ] જૂ, કુંભી, માકડ, કીડી અને [ वृश्चिकादयः ] વીંછી વગેરે [ कीटाः ] જંતુઓ [ रसं स्पर्शं गंधं ] રસ, સ્પર્શ અને ગંધને [ जानन्ति ] જાણે છે; [ त्रीन्द्रियाः जीवाः ] તે ત્રીન્દ્રિય જીવો છે.
સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિયના આવરણના ક્ષયોપશમને લીધે તથા બાકીની ઇન્દ્રિયોના આવરણનો ઉદય તેમ જ મનના આવરણનો ઉદય હોવાથી સ્પર્શ, રસ અને ગંધને જાણનારા આ (જૂ વગેરે) જીવો મનરહિત ત્રીન્દ્રિય જીવો છે. ૧૧૫.