Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 168 of 256
PDF/HTML Page 208 of 296

 

૧૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
इन्द्रियभेदेनोक्तानां जीवानां चतुर्गतिसम्बन्धत्वेनोपसंहारोऽयम्
देवगतिनाम्नो देवायुषश्चोदयाद्देवाः, ते च भवनवासिव्यन्तरज्योतिष्कवैमानिक-

निकायभेदाच्चतुर्धा मनुष्यगतिनाम्नो मनुष्यायुषश्च उदयान्मनुष्याः ते कर्मभोगभूमिज- भेदात् द्वेधा तिर्यग्गतिनाम्नस्तिर्यगायुषश्च उदयात्तिर्यञ्चः ते पृथिवीशम्बूकयूकोद्दंश- जलचरोरगपक्षिपरिसर्पचतुष्पदादिभेदादनेकधा नरकगतिनाम्नो नरकायुषश्च उदयान्नारकाः ते रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातमःप्रभाभूमिजभेदात्सप्तधा तत्र देवमनुष्यनारकाः भूमिजाः ] મનુષ્યો કર્મભૂમિજ અને ભોગભૂમિજ એમ બે પ્રકારના છે, [ तिर्यञ्चः बहुप्रकाराः ] તિર્યંચો ઘણા પ્રકારનાં છે [ पुनः ] અને [ नारकाः पृथिवीभेदगताः ] નારકોના ભેદ તેમની પૃથ્વીઓના ભેદ જેટલા છે.

ટીકાઆ, ઇન્દ્રિયોના ભેદની અપેક્ષાએ કહેવામાં આવેલા જીવોનો ચતુર્ગતિસંબંધ દર્શાવતાં ઉપસંહાર છે (અર્થાત્ અહીં એકેંદ્રિયદ્વીંદ્રિયાદિરૂપ જીવભેદોનો ચાર ગતિ સાથે સંબંધ દર્શાવીને તે જીવભેદોનો ઉપસંહાર કરવામાં આવ્યો છે).

દેવગતિનામ અને દેવાયુના ઉદયથી (અર્થાત્ દેવગતિનામકર્મ અને દેવાયુકર્મના ઉદયના નિમિત્તથી) દેવો હોય છે; તેઓ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એવા નિકાયભેદોને લીધે ચાર પ્રકારના છે. મનુષ્યગતિનામ અને મનુષ્યાયુના ઉદયથી મનુષ્યો હોય છે; તેઓ કર્મભૂમિજ અને ભોગભૂમિજ એવા ભેદોને લીધે બે પ્રકારના છે. તિર્યંચગતિનામ અને તિર્યંચાયુના ઉદયથી તિર્યંચો હોય છે; તેઓ પૃથ્વી, શંબૂક, જૂ, ડાંસ, જળચર, ઉરગ, પક્ષી, પરિસર્પ, ચતુષ્પાદ (ચોપગાં) ઇત્યાદિ ભેદોને લીધે અનેક પ્રકારનાં છે. નરકગતિનામ અને નરકાયુના ઉદયથી નારકો હોય છે; તેઓ રત્નપ્રભાભૂમિજ, શર્કરાપ્રભાભૂમિજ, વાલુકાપ્રભાભૂમિજ, પંકપ્રભાભૂમિજ, ધૂમપ્રભાભૂમિજ, તમઃપ્રભાભૂમિજ અને મહાતમઃપ્રભાભૂમિજ એવા ભેદોને લીધે સાત પ્રકારના છે.

તેમાં, દેવો, મનુષ્યો અને નારકો પંચેન્દ્રિય જ હોય છે. તિર્યંચો તો કેટલાંક પંચેન્દ્રિય ૧. નિકાય=સમૂહ ૨. રત્નપ્રભાભૂમિજ=રત્નપ્રભા નામની ભૂમિમાં (પ્રથમ નરકમાં) ઉત્પન્ન થયેલ