सुखदुःखज्ञानस्य हितपरिकर्मणोऽहितभीरुत्वस्य चेति चैतन्यविशेषाणां नित्यमनुप- लब्धेरविद्यमानचैतन्यसामान्या एवाकाशादयोऽजीवा इति ।।१२५।।
આકાશાદિને સુખદુઃખનું જ્ઞાન, *હિતનો ઉદ્યમ અને અહિતનો ભય — એ ચૈતન્યવિશેષોની સદા અનુપલબ્ધિ છે (અર્થાત્ એ ચૈતન્યવિશેષો આકાશાદિને કોઈ કાળે જોવામાં આવતા નથી), તેથી (એમ નક્કી થાય છે કે) આકાશાદિ અજીવોને ચૈતન્યસામાન્ય વિદ્યમાન નથી જ.
ભાવાર્થઃ — જેને ચેતનત્વસામાન્ય હોય તેને ચેતનત્વવિશેષો હોવા જ જોઈએ. જેને ચેતનત્વવિશેષો ન હોય તેને ચેતનત્વસામાન્ય પણ ન જ હોય. હવે, આકાશાદિ પાંચ દ્રવ્યોને સુખદુઃખનું સંચેતન, હિત અર્થે પ્રયત્ન અને અહિતની ભીતિ — એ ચેતનત્વવિશેષો કદીયે જોવામાં આવતા નથી; તેથી નક્કી થાય છે કે આકાશાદિને ચેતનત્વસામાન્ય પણ નથી, અર્થાત્ અચેતનત્વસામાન્ય જ છે. ૧૨૫.
*હિત અને અહિત વિષે આચાર્યવર શ્રી જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં નીચે પ્રમાણે વિવરણ છેઃ —
સમજે છે અને સર્પ, વિષ, કંટક વગેરેને અહિત સમજે છે. સમ્યગ્જ્ઞાની જીવો અક્ષય અનંત સુખને તથા તેના કારણભૂત નિશ્ચયરત્નત્રયપરિણત પરમાત્મદ્રવ્યને હિત સમજે છે અને આકુળતાના ઉત્પાદક એવા દુઃખને તથા તેના કારણભૂત મિથ્યાત્વરાગાદિપરિણત આત્મદ્રવ્યને અહિત સમજે છે. પં. ૨૩