Panchastikay Sangrah (Gujarati). Gatha: 128.

< Previous Page   Next Page >


Page 179 of 256
PDF/HTML Page 219 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૭૯
रूपिभ्योऽरूपिभ्यश्चाजीवेभ्यो विशिष्टं जीवद्रव्यम् एवमिह जीवाजीवयोर्वास्तवो भेदः
सम्यग्ज्ञानिनां मार्गप्रसिद्धयर्थं प्रतिपादित इति ।।१२६१२७।।
इति अजीवपदार्थव्याख्यानं समाप्तम्

उक्तौ मूलपदार्थौ अथ संयोगपरिणामनिर्वृत्तेतरसप्तपदार्थानामुपोद्घातार्थं जीवपुद्गल- कर्मचक्रमनुवर्ण्यते

जो खलु संसारत्थो जीवो तत्तो दु होदि परिणामो
परिणामादो कम्मं कम्मादो होदि गदिसु गदी ।।१२८।।

પર્યાયોરૂપે પરિણત હોવાને લીધે ઇન્દ્રિયગ્રહણયોગ્ય નથી, તે, ચેતનાગુણમયપણાને લીધે રૂપી તેમ જ અરૂપી અજીવોથી *વિશિષ્ટ (ભિન્ન) એવું જીવદ્રવ્ય છે.

આ રીતે અહીં જીવ અને અજીવનો વાસ્તવિક ભેદ સમ્યગ્જ્ઞાનીઓના માર્ગની પ્રસિદ્ધિ અર્થે પ્રતિપાદિત કરવામાં આવ્યો.

[ભાવાર્થઃઅનાદિ મિથ્યાવાસનાને લીધે જીવોને પોતે કોણ છે તેનું વાસ્તવિક જ્ઞાન નથી અને પોતાને શરીરાદિરૂપ માને છે. તેમને જીવદ્રવ્ય અને અજીવદ્રવ્યનો વાસ્તવિક ભેદ દર્શાવી મુક્તિનો માર્ગ પ્રાપ્ત કરાવવા અર્થે અહીં જડ પુદ્ગલદ્રવ્યનાં અને ચેતન જીવદ્રવ્યનાં વીતરાગસર્વજ્ઞકથિત લક્ષણો કહેવામાં આવ્યાં. જે જીવ તે લક્ષણો જાણી, પોતાને એક સ્વતઃસિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય તરીકે ઓળખી, ભેદવિજ્ઞાની અનુભવી થાય છે, તે નિજાત્મદ્રવ્યમાં લીન થઈ મોક્ષમાર્ગને સાધી શાશ્વત નિરાકુળ સુખનો ભોક્તા થાય છે.

] ૧૨૬૧૨૭.
આ રીતે અજીવપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
બે મૂળપદાર્થો કહેવામાં આવ્યા. હવે (તેમના) સંયોગપરિણામથી નિષ્પન્ન થતા

અન્ય સાત પદાર્થોના ઉપોદ્ઘાત અર્થે જીવકર્મ અને પુદ્ગલકર્મનું ચક્ર વર્ણવવામાં આવે છે.

સંસારગત જે જીવ છે પરિણામ તેને થાય છે,
પરિણામથી કર્મો, કરમથી ગમન ગતિમાં થાય છે; ૧૨૮.
*વિશિષ્ટ = ભિન્ન; વિલક્ષણ; ખાસ પ્રકારનું.