इह हि संसारिणो जीवादनादिबन्धनोपाधिवशेन स्निग्धः परिणामो भवति ।
ગતિપ્રાપ્તને તન થાય, તનથી ઇન્દ્રિયો વળી થાય છે,
એનાથી વિષય ગ્રહાય, રાગદ્વેષ તેથી થાય છે.૧૨૯.
એ રીત ભાવ અનાદિનિધન અનાદિસાંત થયા કરે
સંસારચક્ર વિષે જીવોને — એમ જિનદેવો કહે.૧૩૦.
અન્વયાર્થઃ — [ यः ] જે [ खलु ] ખરેખર [ संसारस्थः जीवः ] સંસારસ્થિત જીવ છે[ ततः तु परिणामः भवति ] તેનાથી પરિણામ થાય છે (અર્થાત્ તેને સ્નિગ્ધ પરિણામ થાયછે), [ परिणामात् कर्म ] પરિણામથી કર્મ અને [ कर्मणः ] કર્મથી [ गतिषु गतिः भवति ]ગતિઓમાં ગમન થાય છે.
[ ़गतिम् अधिगतस्य देहः ] ગતિપ્રાપ્તને દેહ થાય છે, [ देहात् इन्द्रियाणि जायन्ते ] દેહથીઇન્દ્રિયો થાય છે, [ तैः तु विषयग्रहणं ] ઇન્દ્રિયોથી વિષયગ્રહણ અને [ ततः रागः वा द्वेषःवा ] વિષયગ્રહણથી રાગ અથવા દ્વેષ થાય છે.
[ एवं भावः ] એ પ્રમાણે ભાવ, [ संसारचक्रवाले ] સંસારચક્રમાં [ जीवस्य ] જીવને[ अनादिनिधनः सनिधनः वा ] અનાદિ-અનંત અથવા અનાદિ-સાંત [ जायते ] થયા કરેછે — [ इति जिनवरैः भणितः ] એમ જિનવરોએ કહ્યું છે.