कारणीभूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं भवति भावपुण्यम् । एवं जीवस्य कर्तुर्निश्चयकर्मता- मापन्नोऽशुभपरिणामो द्रव्यपापस्य निमित्तमात्रत्वेन कारणीभूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं
અન્વયાર્થઃ — [ जीवस्य ] જીવના [ शुभपरिणामः ] શુભ પરિણામ [ पुण्यम् ] પુણ્ય છે અને [ अशुभः ] અશુભ પરિણામ [ पापम् इति भवति ] પાપ છે; [ द्वयोः ] તે બંને દ્વારા [ पुद्गलमात्रः भावः ] પુદ્ગલમાત્ર ભાવ [ कर्मत्वं प्राप्तः ] કર્મપણાને પામે છે (અર્થાત્ જીવના પુણ્ય-પાપભાવના નિમિત્તે શાતા-અશાતાવેદનીયાદિ પુદ્ગલમાત્ર પરિણામ વ્યવહારથી જીવનું કર્મ કહેવાય છે).
જીવરૂપ કર્તાના *નિશ્ચયકર્મભૂત શુભપરિણામ દ્રવ્યપુણ્યને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપુણ્યાસ્રવ’ના પ્રસંગને અનુસરીને ( – અનુલક્ષીને) તે શુભપરિણામ ‘ભાવપુણ્ય’ છે. (શાતાવેદનીયાદિ દ્રવ્યપુણ્યાસ્રવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના શુભપરિણામ નિમિત્તકારણ છે માટે ‘દ્રવ્યપુણ્યાસ્રવ’પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત શુભપરિણામને પણ ‘ભાવપુણ્ય’ એવું નામ છે.) એવી રીતે જીવરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત અશુભપરિણામ દ્રવ્યપાપને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપાપાસ્રવ’ના પ્રસંગને અનુસરીને ( – અનુલક્ષીને) તે અશુભપરિણામ ‘ભાવપાપ’ છે. *જીવ કર્તા છે અને શુભપરિણામ તેનું (અશુદ્ધનિશ્ચનયે) નિશ્ચયકર્મ છે.