भुज्यते, ततः कर्मणां मूर्तत्वमनुमीयते । तथाहि — मूर्तं कर्म, मूर्तसम्बम्धेनानुभूयमानमूर्त- फलत्वादाखुविषवदिति ।।१३३।।
કર્મનું ફળ જે સુખદુઃખના હેતુભૂત મૂર્ત વિષય તે નિયમથી મૂર્ત ઇન્દ્રિયો દ્વારા જીવ વડે ભોગવાય છે, તેથી કર્મના મૂર્તપણાનું અનુમાન થઈ શકે છે. તે આ પ્રમાણેઃ — જેમ મૂષકવિષ મૂર્ત છે તેમ કર્મ મૂર્ત છે, કારણ કે (મૂષકવિષના ફળની માફક) મૂર્તના સંબંધ દ્વારા અનુભવાતું એવું મૂર્ત તેનું ફળ છે. [ઉંદરના ઝેરનું ફળ ( – શરીરમાં સોજા થવા, તાવ આવવો વગેરે) મૂર્ત છે અને મૂર્ત શરીરના સંબંધ દ્વારા અનુભવાય — ભોગવાય છે, તેથી અનુમાન થઈ શકે છે કે ઉંદરનું ઝેર મૂર્ત છે; તેવી રીતે કર્મનું ફળ ( – વિષયો) મૂર્ત છે અને મૂર્ત ઇન્દ્રિયોના સંબંધ દ્વારા અનુભવાય — ભોગવાય છે, તેથી અનુમાન થઈ શકે છે કે કર્મ મૂર્ત છે.] ૧૩૩.
અન્વયાર્થઃ — [ मूर्तः मूर्तं स्पृशति ] મૂર્ત મૂર્તને સ્પર્શે છે, [ मूर्तः मूर्तेन ] મૂર્ત મૂર્તની સાથે [ बन्धम् अनुभवति ] બંધ પામે છે; [ मूर्तिविरहितः जीवः ] મૂર્તત્વરહિત જીવ [ तानि गाहति ] મૂર્તકર્મોને અવગાહે છે અને [ तैः अवगाह्यते ] મૂર્તકર્મો જીવને અવગાહે છે (અર્થાત્ બંને એકબીજામાં અવગાહ પામે છે).