तस्य प्रसादोऽकालुष्यम् । तत् कादाचित्कविशिष्टकषायक्षयोपशमे सत्यज्ञानिनो भवति । कषायोदयानुवृत्तेरसमग्रव्यावर्तितोपयोगस्यावान्तरभूमिकासु कदाचित् ज्ञानिनोऽपि भवतीति ।।१३८।।
[ क्षोभं करोति ] ક્ષોભ કરે છે, ત્યારે [ तं ] તેને [ बुधाः ] જ્ઞાનીઓ [ कालुष्यम् इति च ब्रुवन्ति ] ‘કલુષતા’ કહે છે.
ક્રોધ, માન, માયા અને લોભના તીવ્ર ઉદયે ચિત્તનો ક્ષોભ તે કલુષતા છે. તેમના જ ( – ક્રોધાદિના જ) મંદ ઉદયે ચિત્તની પ્રસન્નતા તે અકલુષતા છે. તે અકલુષતા, કદાચિત્ કષાયનો વિશિષ્ટ ( – ખાસ પ્રકારનો) ક્ષયોપશમ હોતાં, અજ્ઞાનીને હોય છે; કષાયના ઉદયને અનુસરતી પરિણતિમાંથી ઉપયોગને *અસમગ્રપણે પાછો વાળ્યો હોય ત્યારે (અર્થાત્ કષાયના ઉદયને અનુસરતા પરિણમનમાંથી ઉપયોગને પૂરો પાછો વાળ્યો ન હોય ત્યારે), મધ્યમ ભૂમિકાઓમાં ( – મધ્યમ ગુણસ્થાનોમાં), કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે. ૧૩૮.
અન્વયાર્થઃ — [ प्रमादबहुला चर्या ] બહુ પ્રમાદવાળી ચર્યા, [ कालुष्यं ] કલુષતા, [ विषयेषु च लोलता ] વિષયો પ્રત્યે લોલુપતા, [ परपरितापापवादः ] પરને પરિતાપ કરવો તથા પરના અપવાદ બોલવા — એ [ पापस्य च आस्रवं करोति ] પાપનો આસ્રવ કરે છે. *અસમગ્રપણે = અપૂર્ણપણે; અધૂરાપણે; અંશે.