परिणतिः, परापवादपरिणतिश्चेति पञ्चाशुभा भावा द्रव्यपापास्रवस्य निमित्तमात्रत्वेन कारण- भूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं भावपापास्रवः । तन्निमित्तोऽशुभकर्मपरिणामो योगद्वारेण प्रविशतां पुद्गलानां द्रव्यपापास्रव इति ।।१३९।।
બહુ પ્રમાદવાળી ચર્યારૂપ પરિણતિ ( – બહુ પ્રમાદથી ભરેલા આચરણરૂપ પરિણતિ), કલુષતારૂપ પરિણતિ, વિષયલોલુપતારૂપ પરિણતિ, પરપરિતાપરૂપ પરિણતિ ( – પરને દુઃખ દેવારૂપ પરિણતિ) અને પરના અપવાદરૂપ પરિણતિ — એ પાંચ અશુભ ભાવો દ્રવ્યપાપાસ્રવને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપાપાસ્રવ’ના પ્રસંગને *અનુસરીને ( – અનુલક્ષીને) તે અશુભ ભાવો ભાવપાપાસ્રવ છે અને તે (અશુભ ભાવો) જેનું નિમિત્ત છે એવા જે યોગદ્વારા પ્રવેશતાં પુદ્ગલોના અશુભકર્મપરિણામ ( – અશુભકર્મરૂપ પરિણામ) તે દ્રવ્યપાપાસ્રવ છે. ૧૩૯.
અન્વયાર્થઃ — [ संज्ञाः च ] (ચારેય) સંજ્ઞાઓ, [ त्रिलेश्याः ] ત્રણ લેશ્યા, [ इन्द्रियवशता च ] ઇન્દ્રિયવશતા, [ आर्तरौद्रे ] આર્ત-રૌદ્રધ્યાન, [ दुःप्रयुक्तं ज्ञानं ] દુઃપ્રયુક્ત જ્ઞાન ( – દુષ્ટપણે અશુભ કાર્યમાં જોડાયેલું જ્ઞાન) [ च ] અને [ मोहः ] મોહ — *અશાતાવેદનીયાદિ પુદ્ગલપરિણામરૂપ દ્રવ્યપાપાસ્રવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના અશુભ ભાવો નિમિત્તકારણ છે માટે ‘દ્રવ્યપાપાસ્રવ’પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત અશુભ ભાવોને પણ ‘ભાવપાપાસ્રવ’ એવું નામ છે. પં. ૨૫