प्रवृत्तिरूपाः कृष्णनीलकापोतलेश्यास्तिस्रः, रागद्वेषोदयप्रकर्षादिन्द्रियाधीनत्वम्, राग- द्वेषोद्रेकात्प्रियसंयोगाप्रियवियोगवेदनामोक्षणनिदानाकाञ्क्षणरूपमार्तम्, कषायक्रूराशयत्वाद्धिंसा- ऽसत्यस्तेयविषयसंरक्षणानन्दरूपं रौद्रम्, नैष्कर्म्यं तु शुभकर्मणश्चान्यत्र दुष्टतया प्रयुक्तं ज्ञानम्, सामान्येन दर्शनचारित्रमोहनीयोदयोपजनिताविवेकरूपो मोहः, — एषः भावपापास्रव-प्रपञ्चो द्रव्यपापास्रवप्रपञ्चप्रदो भवतीति ।।१४०।।
अथ संवरपदार्थव्याख्यानम् । [ पापप्रदाः भवन्ति ] એ ભાવો પાપપ્રદ છે.
તીવ્ર મોહના વિપાકથી ઉત્પન્ન થતી આહાર-ભય-મૈથુન-પરિગ્રહસંજ્ઞાઓ; તીવ્ર કષાયના ઉદયથી ૧અનુરંજિત યોગપ્રવૃત્તિરૂપ કૃષ્ણ-નીલ-કાપોત નામની ત્રણ લેશ્યા; રાગદ્વેષના ઉદયના ૨પ્રકર્ષને લીધે વર્તતું ઇન્દ્રિયાધીનપણું; રાગદ્વેષના ૩ઉદ્રેકને લીધે પ્રિયના સંયોગને, અપ્રિયના વિયોગને, વેદનામાંથી છુટકારાને તથા નિદાનને ઇચ્છવારૂપ આર્તધ્યાન; કષાય વડે ૪ક્રૂર એવા પરિણામને લીધે થતું હિંસાનંદ, અસત્યાનંદ, સ્તેયાનંદ અને વિષયસંરક્ષણાનંદરૂપ રૌદ્રધ્યાન; વગરપ્રયોજને ( – નકામું) શુભ કર્મથી અન્યત્ર ( – અશુભ કાર્યમાં) દુષ્ટપણે જોડાયેલું જ્ઞાન; અને સામાન્યપણે દર્શનચારિત્રમોહનીયના ઉદયથી ઉત્પન્ન અવિવેકરૂપ મોહ; — આ, ભાવપાપાસ્રવનો વિસ્તાર દ્રવ્યપાપાસ્રવના વિસ્તારને દેનારો છે (અર્થાત્ ઉપરોક્ત ભાવપાપાસ્રવરૂપ અનેકવિધ ભાવો તેવા તેવા અનેકવિધ દ્રવ્યપાપાસ્રવમાં નિમિત્તભૂત છે). ૧૪૦.
૧. અનુરંજિત = રંગાયેલ. [કષાયના ઉદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિ તે લેશ્યા છે. ત્યાં, કૃષ્ણાદિ ત્રણ
લેશ્યાઓ તીવ્ર કષાયના ઉદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિરૂપ છે.] ૨. પ્રકર્ષ = ઉત્કર્ષ; ઉગ્રતા ૩. ઉદ્રેક = પુષ્કળતા; વધારો. ૪. ક્રૂર = નિર્દય; કઠોર; ઉગ્ર.