कालं निगृह्यन्ते तावतांशेन तावन्तं वा कालं पापास्रवद्वारं पिधीयते । इन्द्रियकषाय- संज्ञाः भावपापास्रवो द्रव्यपापास्रवहेतुः पूर्वमुक्त : । इह तन्निरोधो भावपापसंवरो द्रव्यपाप- संवरहेतुरवधारणीय इति ।।१४१।।
અન્વયાર્થઃ — [ यैः ] જેઓ [ सुष्ठु मार्गे ] સારી રીતે માર્ગમાં રહીને [ इन्द्रियकषायसंज्ञाः ] ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો [ यावत् निगृहीताः ] જેટલો નિગ્રહ કરે છે, [ तावत् ] તેટલું [ पापास्रवछिद्रम् ] પાપાસ્રવનું છિદ્ર [ तेषाम् ] તેમને [ पिहितम् ] બંધ થાય છે.
ટીકાઃ — પાપની અનંતર હોવાથી, પાપના જ સંવરનું આ કથન છે (અર્થાત્ પાપના કથન પછી તુરત જ હોવાથી, અહીં પાપના જ સંવરનું કથન કરવામાં આવ્યું છે).
માર્ગ ખરેખર સંવર છે; તેના નિમિત્તે ( – તેના અર્થે) ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો જેટલા અંશે અથવા જેટલો કાળ નિગ્રહ કરવામાં આવે છે, તેટલા અંશે અથવા તેટલો કાળ પાપાસ્રવદ્વાર બંધ થાય છે.
ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓ — ભાવપાપાસ્રવ — દ્રવ્યપાપાસ્રવનો હેતુ ( – નિમિત્ત) પૂર્વે (૧૪૦ મી ગાથામાં) કહ્યો હતો; અહીં (આ ગાથામાં) તેમનો નિરોધ ( – ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો નિરોધ) — ભાવપાપસંવર — દ્રવ્યપાપસંવરનો હેતુ અવધારવો ( – સમજવો). ૧૪૧.