Panchastikay Sangrah (Gujarati). Gatha: 145.

< Previous Page   Next Page >


Page 199 of 256
PDF/HTML Page 239 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૯૯
बहूनां कर्मणां निर्जरणं करोति तदत्र कर्मवीर्यशातनसमर्थो बहिरङ्गान्तरङ्गतपोभिर्बृंहितः
शुद्धोपयोगो भावनिर्जरा, तदनुभावनीरसीभूतानामेकदेशसंक्षयः समुपात्तकर्मपुद्गलानां
द्रव्यनिर्जरेति
।।१४४।।
जो संवरेण जुत्तो अप्पट्ठपसाधगो हि अप्पाणं
मुणिऊण झादि णियदं णाणं सो संधुणोदि कम्मरयं ।।१४५।।
यः संवरेण युक्त : आत्मार्थप्रसाधको ह्यात्मानम्
ज्ञात्वा ध्यायति नियतं ज्ञानं स संधुनोति कर्मरजः ।।१४५।।

કરે છે. તેથી અહીં (આ ગાથામાં એમ કહ્યું કે), કર્મના વીર્યનું (કર્મની શક્તિનું) શાતન કરવામાં સમર્થ એવો જે બહિરંગ અને અંતરંગ તપો વડે વૃદ્ધિ પામેલો શુદ્ધોપયોગ તે ભાવનિર્જરા છે અને તેના પ્રભાવથી (વૃદ્ધિ પામેલા શુદ્ધોપયોગના નિમિત્તથી) નીરસ થયેલાં એવાં ઉપાર્જિત કર્મપુદ્ગલોનો એકદેશ સંક્ષય તે દ્રવ્યનિર્જરા છે. ૧૪૪.

સંવર સહિત, આત્મપ્રયોજનનો પ્રસાધક આત્મને
જાણી, સુનિશ્ચળ જ્ઞાન ધ્યાવે, તે કરમરજ નિર્જરે. ૧૪૫.
અન્વયાર્થઃ[ संवरेण युक्तः ] સંવરથી યુક્ત એવો [ यः ] જે જીવ,
અંશને વ્યવહાર-તપ કહેવામાં આવે છે. (મિથ્યાદ્રષ્ટિને નિશ્ચય-તપ નથી તેથી તેના અનશનાદિ-

સંબંધી શુભ ભાવોને વ્યવહાર-તપો પણ કહેવાતા નથી; કારણ કે જ્યાં વાસ્તવિક તપનો સદ્ભાવ જ નથી, ત્યાં તે શુભ ભાવોમાં આરોપ કોનો કરવો?) ૧. શાતન કરવું = પાતળું કરવું; હીન કરવું; ક્ષીણ કરવું; નષ્ટ કરવું. ૨. વૃદ્ધિ પામેલો = વધેલો; ઉગ્ર થયેલો. [સંવર અને શુદ્ધોપયોગવાળા જીવને જ્યારે ઉગ્ર શુદ્ધોપયોગ થાય

છે ત્યારે ઘણાં કર્મોની નિર્જરા થાય છે. શુદ્ધોપયોગની ઉગ્રતા કરવાની વિધિ શુદ્ધાત્મદ્રવ્યના આલંબનની
ઉગ્રતા કરવી તે જ છે. એમ કરનારને, સહજદશાએ હઠ વિના જે અનશનાદિસંબંધી ભાવો વર્તે તેમાં
(
શુભપણારૂપ અંશની સાથે) ઉગ્ર-શુદ્ધિરૂપ અંશ હોય છે, જેથી ઘણાં કર્મોની નિર્જરા થાય છે.
(મિથ્યાદ્રષ્ટિને તો શુદ્ધાત્મદ્રવ્ય ભાસ્યું જ નથી, તેથી તેને સંવર નથી, શુદ્ધોપયોગ નથી, શુદ્ધોપયોગની
વૃદ્ધિની તો વાત જ ક્યાં રહી? તેથી તેને, સહજ દશા વિનાનાહઠપૂર્વકઅનશનાદિસંબંધી
શુભભાવો કદાચિત્ ભલે હોય તોપણ, મોક્ષના હેતુભૂત નિર્જરા બિલકુલ હોતી નથી.]

૩. સંક્ષય = સમ્યક્ પ્રકારે ક્ષય.