प्रयोजनेभ्यो व्यावृत्तबुद्धिः केवलं स्वप्रयोजनसाधनोद्यतमनाः आत्मानं स्वोपलम्भेनोपलभ्य गुणगुणिनोर्वस्तुत्वेनाभेदात्तदेव ज्ञानं स्वं स्वेनाविचलितमनास्सञ्चेतयते स खलु नितान्तनिस्स्नेहः प्रहीणस्नेहाभ्यङ्गपरिष्वङ्गशुद्धस्फ टिकस्तम्भवत् पूर्वोपात्तं कर्मरजः संधुनोति । [ आत्मार्थप्रसाधकः हि ] ખરેખર આત્માર્થનો પ્રસાધક (સ્વપ્રયોજનનો પ્રકૃષ્ટ સાધક) વર્તતો થકો, [ आत्मानम् ज्ञात्वा ] આત્માને જાણીને ( – અનુભવીને) [ ज्ञानं नियतं ध्यायति ] જ્ઞાનને નિશ્ચળપણે ધ્યાવે છે, [ सः ] તે [ कर्मरजः ] કર્મરજને [ संधुनोति ] ખેરવી નાખે છે.
સંવરથી અર્થાત્ શુભાશુભ પરિણામના પરમ નિરોધથી યુક્ત એવો જે જીવ, વસ્તુસ્વરૂપને (હેય-ઉપાદેય તત્ત્વને) બરાબર જાણતો થકો પરપ્રયોજનોથી જેની બુદ્ધિ ૧વ્યાવૃત્ત થઈ છે અને કેવળ સ્વપ્રયોજન સાધવામાં જેનું ૨મન ૩ઉદ્યત થયું છે એવો વર્તતો થકો, આત્માને સ્વોપલબ્ધિથી ઉપલબ્ધ કરીને ( – પોતાને સ્વાનુભવ વડે અનુભવીને), ગુણ-ગુણીનો વસ્તુપણે અભેદ હોવાથી તે જ ૪જ્ઞાનને — સ્વને — સ્વ વડે અવિચળપરિણતિવાળો થઈને સંચેતે છે, તે જીવ ખરેખર અત્યંત ૫નિઃસ્નેહ વર્તતો થકો — જેને ૬સ્નેહના લેપનો સંગ પ્રક્ષીણ થયો છે એવા શુદ્ધ સ્ફટિકના સ્તંભની માફક — પૂર્વોપાર્જિત કર્મરજને ખેરવી નાખે છે. ૧. વ્યાવૃત્ત થવું = નિવર્તવું; નિવૃત્ત થવું; પાછા વળવું. ૨. મન = મતિ; બુદ્ધિ; ભાવ; પરિણામ. ૩. ઉદ્યત થવું = તત્પર થવું; લાગવું; ઉદ્યમવંત થવું; વળવું; ઢળવું. ૪. ગુણી અને ગુણમાં વસ્તુ-અપેક્ષાએ અભેદ છે તેથી આત્મા કહો કે જ્ઞાન કહો — બન્ને એક જ
૫. નિઃસ્નેહ = સ્નેહ રહિત; મોહરાગદ્વેષ રહિત. ૬. સ્નેહ = તેલ; ચીકણો પદાર્થ; સ્નિગ્ધતા; ચીકાશ.