Panchastikay Sangrah (Gujarati). Gatha: 146.

< Previous Page   Next Page >


Page 201 of 256
PDF/HTML Page 241 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૦૧
एतेन निर्जरामुख्यत्वे हेतुत्वं ध्यानस्य द्योतितमिति ।।१४५।।
जस्स ण विज्जदि रागो दोसो मोहो व जोगपरिकम्मो
तस्स सुहासुहडहणो झाणमओ जायदे अगणी ।।१४६।।
यस्य न विद्यते रागो द्वेषो मोहो वा योगपरिकर्म
तस्य शुभाशुभदहनो ध्यानमयो जायते अग्निः ।।१४६।।
ध्यानस्वरूपाभिधानमेतत
शुद्धस्वरूपेऽविचलितचैतन्यवृत्तिर्हि ध्यानम् अथास्यात्मलाभविधिरभिधीयते

यदा खलु योगी दर्शनचारित्रमोहनीयविपाकं पुद्गलकर्मत्वात् कर्मसु संहृत्य, तदनुवृत्तेः व्यावृत्त्योपयोगममुह्यन्तमरज्यन्तमद्विषन्तं चात्यन्तशुद्ध एवात्मनि निष्कम्पं

આથી (આ ગાથાથી) એમ દર્શાવ્યું કે નિર્જરાનો મુખ્ય હેતુ ધ્યાન છે. ૧૪૫.

નહિ રાગદ્વેષવિમોહ ને નહિ યોગસેવન જેહને,
પ્રગટે શુભાશુભ બાળનારો ધ્યાન-અગ્નિ તેહને. ૧૪૬.

અન્વયાર્થઃ[ यस्य ] જેને [ मोहः रागः द्वेषः ] મોહ અને રાગદ્વેષ [ न विद्यते ] નથી [ वा ] તથા [ योगपरिकर्म ] યોગોનું સેવન નથી (અર્થાત્ મન-વચન-કાયા પ્રત્યે ઉપેક્ષા છે), [ तस्य ] તેને [ शुभाशुभदहनः ] શુભાશુભને બાળનારો [ ध्यानमयः अग्निः ] ધ્યાનમય અગ્નિ [ जायते ] પ્રગટે છે.

ટીકાઃઆ, ધ્યાનના સ્વરૂપનું કથન છે.

શુદ્ધ સ્વરૂપમાં અવિચલિત ચૈતન્યપરિણતિ તે ખરેખર ધ્યાન છે. તે ધ્યાન પ્રગટવાની વિધિ હવે કહેવામાં આવે છેઃજ્યારે ખરેખર યોગી, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો વિપાક પુદ્ગલકર્મ હોવાથી તે વિપાકને (પોતાથી ભિન્ન એવાં અચેતન) કર્મોમાં સમેટી દઈને, તદનુસાર પરિણતિથી ઉપયોગને વ્યાવૃત્ત કરીને (તે વિપાકને અનુરૂપ પરિણમવામાંથી ઉપયોગને નિવર્તાવીને), મોહી, રાગી અને દ્વેષી નહિ ૧. આ ધ્યાન શુદ્ધભાવરૂપ છે. પં. ૨૬