Panchastikay Sangrah (Gujarati). Gatha: 148.

< Previous Page   Next Page >


Page 205 of 256
PDF/HTML Page 245 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૦૫
जोगणिमित्तं गहणं जोगो मणवयणकायसंभूदो
भावणिमित्तो बंधो भावो रदिरागदोसमोहजुदो ।।१४८।।
योगनिमित्तं ग्रहणं योगो मनोवचनकायसम्भूतः
भावनिमित्तो बन्धो भावो रतिरागद्वेषमोहयुतः ।।१४८।।
बहिरङ्गान्तरङ्गबन्धकारणाख्यानमेतत
ग्रहणं हि कर्मपुद्गलानां जीवप्रदेशवर्तिकर्मस्कन्धानुप्रवेशः तत् खलु योग-

निमित्तम् योगो वाङ्मनःकायकर्मवर्गणालम्बन आत्मप्रदेशपरिस्पन्दः बन्धस्तु कर्म- पुद्गलानां विशिष्टशक्ति परिणामेनावस्थानम् स पुनर्जीवभावनिमित्तः जीवभावः पुना रतिरागद्वेषमोहयुतः, मोहनीयविपाकसम्पादितविकार इत्यर्थः तदत्र पुद्गलानां ग्रहण-

છે યોગહેતુક ગ્રહણ, મનવચકાય-આશ્રિત યોગ છે;
છે ભાવહેતુક બંધ, ને મોહાદિસંયુત ભાવ છે. ૧૪૮.

અન્વયાર્થઃ[ योगनिमित्तं ग्रहणम् ] ગ્રહણનું (કર્મગ્રહણનું) નિમિત્ત યોગ છે; [ योगः मनोवचनकायसंभूतः ] યોગ મનવચનકાયજનિત (આત્મપ્રદેશપરિસ્પંદ) છે. [ भावनिमित्तः बन्धः ] બંધનું નિમિત્ત ભાવ છે; [ भावः रतिरागद्वेषमोहयुतः ] ભાવ રતિરાગદ્વેષમોહથી યુક્ત (આત્મપરિણામ) છે.

ટીકાઃઆ, બંધના બહિરંગ કારણ અને અંતરંગ કારણનું કથન છે.

ગ્રહણ એટલે કર્મપુદ્ગલોનો જીવપ્રદેશવર્તી (જીવના પ્રદેશોની સાથે એક ક્ષેત્રે રહેલા) કર્મસ્કંધોમાં પ્રવેશ; તેનું નિમિત્ત યોગ છે. યોગ એટલે વચનવર્ગણા, મનોવર્ગણા, કાયવર્ગણા અને કર્મવર્ગણાનું જેમાં આલંબન હોય છે એવો આત્મપ્રદેશોનો પરિસ્પંદ (અર્થાત્ જીવના પ્રદેશોનું કંપન).

બંધ એટલે કર્મપુદ્ગલોનું વિશિષ્ટ શક્તિરૂપ પરિણામ સહિત સ્થિત રહેવું તે (અર્થાત્ કર્મપુદ્ગલોનું અમુક અનુભાગરૂપ શક્તિ સહિત અમુક કાળ સુધી ટકવું તે); તેનું નિમિત્ત જીવભાવ છે. જીવભાવ રતિરાગદ્વેષમોહયુક્ત (પરિણામ) છે અર્થાત્ મોહનીયના વિપાકથી ઉત્પન્ન થતો વિકાર છે.