Panchastikay Sangrah (Gujarati). Bandh Padarth Vyakhyan Gatha: 147.

< Previous Page   Next Page >

Download pdf file of shastra: http://samyakdarshan.org/DdM
Tiny url for this page: http://samyakdarshan.org/GcwwtIi

Page 204 of 256
PDF/HTML Page 244 of 296

 

Hide bookmarks
background image
૨૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
હવે બંધપદાર્થનું વ્યાખ્યાન છે.
જો આતમા ઉપરક્ત કરતો અશુભ વા શુભ ભાવને,
તો તે વડે એ વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૪૭.
અન્વયાર્થઃ[ यदि ] જો [ आत्मा ] આત્મા [ रक्तः ] રક્ત (વિકારી) વર્તતો થકો
[ उदीर्णं ] ઉદિત [ यम् शुभम् अशुभम् भावम् ] શુભ કે અશુભ ભાવને [ करोति ] કરે છે, તો
[ सः ] તે આત્મા [ तेन ] તે ભાવ વડે (તે ભાવના નિમિત્તે) [ विविधेन पुद्गलकर्मणा ] વિવિધ
પુદ્ગલકર્મથી [ बद्धः भवति ] બદ્ધ થાય છે.
ટીકાઃઆ, બંધના સ્વરૂપનું કથન છે.
જો ખરેખર આ આત્મા અન્યના (પુદ્ગલકર્મના) આશ્રય વડે અનાદિ કાળથી
રક્ત રહીને કર્મોદયના પ્રભાવયુક્તપણે વર્તવાથી ઉદિત (પ્રગટ થતા) શુભ કે અશુભ
ભાવને કરે છે, તો તે આત્મા તે નિમિત્તભૂત ભાવ વડે વિવિધ પુદ્ગલકર્મથી બદ્ધ થાય
છે. તેથી અહીં (
એમ કહ્યું કે), મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ એવા જે જીવના શુભ કે અશુભ
પરિણામ તે ભાવબંધ છે અને તેના (શુભાશુભ પરિણામના) નિમિત્તથી શુભાશુભ કર્મપણે
પરિણત પુદ્ગલોનું જીવની સાથે અન્યોન્ય અવગાહન (વિશિષ્ટ શક્તિ સહિત
એકક્ષેત્રાવગાહસંબંધ) તે દ્રવ્યબંધ છે. ૧૪૭.
अथ बन्धपदार्थव्याख्यानम्
जं सुहमसुहमुदिण्णं भावं रत्तो करेदि जदि अप्पा
सो तेण हवदि बद्धो पोग्गलकम्मेण विविहेण ।।१४७।।
यं शुभमशुभमुदीर्णं भावं रक्त : करोति यद्यात्मा
स तेन भवति बद्धः पुद्गलकर्मणा विविधेन ।।१४७।।
बन्धस्वरूपाख्यानमेतत
यदि खल्वयमात्मा परोपाश्रयेणानादिरक्त : कर्मोदयप्रभावत्वादुदीर्णं शुभमशुभं वा भावं
करोति, तदा स आत्मा तेन निमित्तभूतेन भावेन पुद्गलकर्मणा विविधेन बद्धो भवति तदत्र
मोहरागद्वेषस्निग्धः शुभोऽशुभो वा परिणामो जीवस्य भावबन्धः, तन्निमित्तेन
शुभाशुभकर्मत्वपरिणतानां जीवेन सहान्योन्यमूर्च्छनं पुद्गलानां द्रव्यबन्ध इति
।।१४७।।