Panchastikay Sangrah (Gujarati). Gatha: 149.

< Previous Page   Next Page >


Page 206 of 256
PDF/HTML Page 246 of 296

 

૨૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
हेतुत्वाद्बहिरंगकारणं योगः, विशिष्टशक्ति स्थितिहेतुत्वादन्तरङ्गकारणं जीवभाव एवेति ।।१४८।।
हेदू चदुव्वियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं
तेसिं पि य रागादी तेसिमभावे ण बज्झंति ।।१४९।।
हेतुश्चतुर्विकल्पोऽष्टविकल्पस्य कारणं भणितम्
तेषामपि च रागादयस्तेषामभावे न बध्यन्ते ।।१४९।।

તેથી અહીં (બંધને વિષે), બહિરંગ કારણ (નિમિત્ત) યોગ છે કારણ કે તે પુદ્ગલોના ગ્રહણનો હેતુ છે, અને અંતરંગ કારણ (નિમિત્ત) જીવભાવ જ છે કારણ કે તે (કર્મપુદ્ગલોની) વિશિષ્ટ શક્તિ અને સ્થિતિનો હેતુ છે.

ભાવાર્થઃકર્મબંધપર્યાયના ચાર વિશેષો છેઃ પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ. આમાં સ્થિતિ-અનુભાગ જ અત્યંત મુખ્ય વિશેષો છે, પ્રકૃતિ-પ્રદેશ તો અત્યંત ગૌણ વિશેષો છે; કારણ કે સ્થિતિ-અનુભાગ વિના કર્મબંધપર્યાય નામમાત્ર જ રહે. તેથી અહીં પ્રકૃતિ-પ્રદેશબંધને માત્ર ‘ગ્રહણ’ શબ્દથી કહેલ છે અને સ્થિતિ- અનુભાગબંધને જ ‘બંધ’ શબ્દથી કહેલ છે.

જીવના કોઈ પણ પરિણામમાં વર્તતો યોગ કર્મનાં પ્રકૃતિ-પ્રદેશનું અર્થાત્ ‘ગ્રહણ’નું નિમિત્ત થાય છે અને જીવના તે જ પરિણામમાં વર્તતો મોહરાગદ્વેષભાવ કર્મનાં સ્થિતિ અનુભાગનું અર્થાત્ ‘બંધ’નું નિમિત્ત થાય છે; માટે મોહરાગદ્વેષભાવને ‘બંધ’નું અંતરંગ કારણ (અંતરંગ નિમિત્ત) કહ્યું છે અને યોગનેકે જે ‘ગ્રહણ’નું નિમિત્ત છે તેને‘બંધ’નું બહિરંગ કારણ (બાહ્ય નિમિત્ત) કહ્યું છે. ૧૪૮.

હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા,
તેનાંય છે રાગાદિ, જ્યાં રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૪૯.

અન્વયાર્થઃ[ चतुर्विकल्पः हेतुः ] (દ્રવ્યમિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ [ अष्टविकल्पस्य कारणम् ] આઠ પ્રકારનાં કર્મોનાં કારણ [ भणितम् ] કહેવામાં આવ્યા છે; [ तेषाम् अपि च ] તેમને પણ [ रागादयः ] (જીવના) રાગાદિભાવો કારણ છે; [ तेषाम् अभावे ] રાગાદિભાવોના અભાવમાં [ न बध्यन्ते ] જીવો બંધાતા નથી.