मिथ्यात्वासंयमकषाययोगा इति । तेषामपि जीवभावभूता रागादयो बन्धहेतुत्वस्य हेतवः, यतो रागादिभावानामभावे द्रव्यमिथ्यात्वासंयमकषाययोगसद्भावेऽपि जीवा न बध्यन्ते । ततो रागादी- नामन्तरङ्गत्वान्निश्चयेन बन्धहेतुत्वमवसेयमिति ।।१४९।।
ટીકાઃ — આ, મિથ્યાત્વાદિ દ્રવ્યપર્યાયોને ( – દ્રવ્યમિથ્યાત્વાદિ પુદ્ગલપર્યાયોને) પણ (બંધના) બહિરંગ-કારણપણાનું ૧પ્રકાશન છે.
ગ્રંથાન્તરમાં (અન્ય શાસ્ત્રમાં) મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ એ ચાર પ્રકારના દ્રવ્યહેતુઓને (દ્રવ્યપ્રત્યયોને) આઠ પ્રકારનાં કર્મોનાં કારણ તરીકે બંધહેતુ કહ્યા છે. તેમને પણ બંધહેતુપણાના હેતુઓ જીવભાવભૂત રાગાદિક છે; કારણ કે ૨રાગાદિભાવોનો અભાવ હોતાં દ્રવ્યમિથ્યાત્વ, દ્રવ્ય-અસંયમ, દ્રવ્યકષાય અને દ્રવ્યયોગના સદ્ભાવમાં પણ જીવો બંધાતા નથી. તેથી રાગાદિભાવોને અંતરંગ બંધહેતુપણું હોવાને લીધે ૩નિશ્ચયથી બંધહેતુપણું છે એમ નક્કી કરવું. ૧૪૯.
૧. પ્રકાશન = પ્રસિદ્ધ કરવું તે; સમજાવવું તે; દર્શાવવું તે. ૨. જીવગત રાગાદિરૂપ ભાવપ્રત્યયોનો અભાવ હોતાં દ્રવ્યપ્રત્યયોના વિદ્યમાનપણામાં પણ જીવો બંધાતા
બંધ જ રહે ( – મોક્ષનો અવકાશ જ ન રહે), કારણ કે સંસારીઓને સદાય કર્મોદયનું વિદ્યમાનપણું
હોય છે. ૩. ઉદયગત દ્રવ્યમિથ્યાત્વાદિ પ્રત્યયોની માફક રાગાદિભાવો નવા કર્મબંધમાં માત્ર બહિરંગ નિમિત્ત
કહ્યા છે.