मार्गत्वेनावधारणीयमिति ।।१५४।।
स्वसमयपरसमयोपादानव्युदासपुरस्सरकर्मक्षयद्वारेण जीवस्वभावनियतचरितस्य मोक्ष- मार्गत्वद्योतनमेतत् । અસ્તિત્વથી ભિન્ન હોવાને લીધે અત્યંત અનિંદિત છે તે — અહીં સાક્ષાત્ મોક્ષમાર્ગ તરીકે અવધારવું.
[આ જ ચારિત્ર ‘પરમાર્થ’શબ્દથી વાચ્ય એવા મોક્ષનું કારણ છે, અન્ય નહિ — એમ નહિ જાણતાં થકાં, મોક્ષથી ભિન્ન એવા અસાર સંસારના કારણભૂત મિથ્યાત્વરાગાદિમાં લીન વર્તતાં થકાં આપણો અનંત કાળ ગયો; આમ જાણીને તે જ જીવસ્વભાવનિયત ચારિત્રની — કે જે મોક્ષના કારણભૂત છે તેની — નિરંતર ભાવના કરવી યોગ્ય છે. આ પ્રમાણે સૂત્રતાત્પર્ય છે.] ૧૫૪.
અન્વયાર્થઃ — [ जीवः ] જીવ, [ स्वभावनियतः ] (દ્રવ્ય-અપેક્ષાએ) સ્વભાવનિયત હોવા છતાં, [ अनियतगुणपर्यायः अथ परसमयः ] જો અનિયત ગુણપર્યાયવાળો હોય તો પરસમય છે. [ यदि ] જો તે [ स्वकं समयं कुरुते ] (નિયત ગુણપર્યાયે પરિણમી) સ્વસમયને કરે છે તો [ कर्मबन्धात् ] કર્મબંધથી [ प्रभ्रस्यति ] છૂટે છે.
ટીકાઃ — સ્વસમયના ગ્રહણ અને પરસમયના ત્યાગપૂર્વક કર્મક્ષય થાય છે — એવા પ્રતિપાદન દ્વારા અહીં (આ ગાથામાં) ‘જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે’ એમ દર્શાવ્યું છે.