Panchastikay Sangrah (Gujarati). Gatha: 155.

< Previous Page   Next Page >


Page 215 of 256
PDF/HTML Page 255 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૧૫
वस्थितास्तित्वरूपं परभावावस्थितास्तित्वव्यावृत्तत्वेनात्यन्तमनिन्दितं तदत्र साक्षान्मोक्ष-
मार्गत्वेनावधारणीयमिति
।।१५४।।
जीवो सहावणियदो अणियदगुणपज्जओध परसमओ
जदि कुणदि सगं समयं पब्भस्सदि कम्मबंधादो ।।१५५।।
जीवः स्वभावनियतः अनियतगुणपर्यायोऽथ परसमयः
यदि कुरुते स्वकं समयं प्रभ्रस्यति कर्मबन्धात् ।।१५५।।

स्वसमयपरसमयोपादानव्युदासपुरस्सरकर्मक्षयद्वारेण जीवस्वभावनियतचरितस्य मोक्ष- मार्गत्वद्योतनमेतत અસ્તિત્વથી ભિન્ન હોવાને લીધે અત્યંત અનિંદિત છે તેઅહીં સાક્ષાત્ મોક્ષમાર્ગ તરીકે અવધારવું.

[આ જ ચારિત્ર ‘પરમાર્થ’શબ્દથી વાચ્ય એવા મોક્ષનું કારણ છે, અન્ય નહિ એમ નહિ જાણતાં થકાં, મોક્ષથી ભિન્ન એવા અસાર સંસારના કારણભૂત મિથ્યાત્વરાગાદિમાં લીન વર્તતાં થકાં આપણો અનંત કાળ ગયો; આમ જાણીને તે જ જીવસ્વભાવનિયત ચારિત્રનીકે જે મોક્ષના કારણભૂત છે તેનીનિરંતર ભાવના કરવી યોગ્ય છે. આ પ્રમાણે સૂત્રતાત્પર્ય છે.] ૧૫૪.

નિજભાવનિયત અનિયતગુણપર્યયપણે પરસમય છે;
તે જો કરે સ્વકસમયને તો કર્મબંધનથી છૂટે. ૧૫૫.

અન્વયાર્થઃ[ जीवः ] જીવ, [ स्वभावनियतः ] (દ્રવ્ય-અપેક્ષાએ) સ્વભાવનિયત હોવા છતાં, [ अनियतगुणपर्यायः अथ परसमयः ] જો અનિયત ગુણપર્યાયવાળો હોય તો પરસમય છે. [ यदि ] જો તે [ स्वकं समयं कुरुते ] (નિયત ગુણપર્યાયે પરિણમી) સ્વસમયને કરે છે તો [ कर्मबन्धात् ] કર્મબંધથી [ प्रभ्रस्यति ] છૂટે છે.

ટીકાઃસ્વસમયના ગ્રહણ અને પરસમયના ત્યાગપૂર્વક કર્મક્ષય થાય છે એવા પ્રતિપાદન દ્વારા અહીં (આ ગાથામાં) ‘જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે’ એમ દર્શાવ્યું છે.