संसारिणो हि जीवस्य ज्ञानदर्शनावस्थितत्वात् स्वभावनियतस्याप्यनादि- मोहनीयोदयानुवृत्तिपरत्वेनोपरक्तोपयोगस्य सतः समुपात्तभाववैश्वरूप्यत्वादनियतगुण- पर्यायत्वं परसमयः परचरितमिति यावत् । तस्यैवानादिमोहनीयोदयानुवृत्तिपरत्वम- पास्यात्यन्तशुद्धोपयोगस्य सतः समुपात्तभावैक्यरूप्यत्वान्नियतगुणपर्यायत्वं स्वसमयः स्वचरितमिति यावत् । अथ खलु यदि कथञ्चनोद्भिन्नसम्यग्ज्ञानज्योतिर्जीवः परसमयं व्युदस्य स्वसमयमुपादत्ते तदा कर्मबन्धादवश्यं भ्रश्यति । यतो हि जीवस्वभावनियतं चरितं मोक्षमार्ग इति ।।१५५।।
સંસારી જીવ, (દ્રવ્ય-અપેક્ષાએ) જ્ઞાનદર્શનમાં અવસ્થિત હોવાને લીધે સ્વભાવમાં નિયત ( – નિશ્ચળપણે રહેલો) હોવા છતાં, જ્યારે અનાદિ મોહનીયના ઉદયને અનુસરીને પરિણતિ કરવાને લીધે ૧ઉપરક્ત ઉપયોગવાળો ( – અશુદ્ધ ઉપયોગવાળો) હોય છે ત્યારે (પોતે) ભાવોનું વિશ્વરૂપપણું ( – અનેકરૂપપણું) ગ્રહ્યું હોવાને લીધે તેને જે ૨અનિયત- ગુણપર્યાયપણું હોય છે તે પરસમય અર્થાત્ પરચારિત્ર છે; તે જ (જીવ) જ્યારે અનાદિ મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિ કરવી છોડીને અત્યંત શુદ્ધ ઉપયોગવાળો હોય છે ત્યારે (પોતે) ભાવનું એકરૂપપણું ગ્રહ્યું હોવાને લીધે તેને જે ૩નિયતગુણપર્યાયપણું હોય છે તે સ્વસમય અર્થાત્ સ્વચારિત્ર છે.
હવે, ખરેખર જો કોઈ પણ પ્રકારે સમ્યગ્જ્ઞાનજ્યોતિ પ્રગટ કરીને જીવ પરસમયને છોડી સ્વસમયને ગ્રહણ કરે છે તો કર્મબંધથી અવશ્ય છૂટે છે; જેથી ખરેખર (એમ નક્કી થાય છે કે) જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. ૧૫૫.
જેમાં નિમિત્તભૂત હોય છે એવી ઔપાધિક વિકૃતિ — મલિનતા — અશુદ્ધિ) તે ઉપરાગ છે.] ૨. અનિયત = અનિશ્ચિત; અનેકરૂપ; વિવિધ પ્રકારના. ૩. નિયત = નિશ્ચિત; એકરૂપ; અમુક એક જ પ્રકારના.