भावमादधाति, स स्वकचरित्रभ्रष्टः परचरित्रचर इत्युपगीयते; यतो हि स्वद्रव्ये शुद्धोपयोगवृत्तिः स्वचरितं, परद्रव्ये सोपरागोपयोगवृत्तिः परचरितमिति ।।१५६।।
અન્વયાર્થઃ — [ यः ] જે [ रागेण ] રાગથી ( – રંજિત અર્થાત્ મલિન ઉપયોગથી) [ परद्रव्ये ] પરદ્રવ્યને વિષે [ शुभम् अशुभम् भावम् ] શુભ કે અશુભ ભાવ [ यदि करोति ] કરે છે, [ सः जीवः ] તે જીવ [ स्वकचरित्रभ्रष्टः ] સ્વચારિત્રભ્રષ્ટ એવો [ परचरितचरः भवति ] પરચારિત્રનો આચરનાર છે.
જે (જીવ) ખરેખર મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિવશાત્ (અર્થાત્ મોહનીયના ઉદયને અનુસરીને પરિણમવાને લીધે) રંજિત-ઉપયોગવાળો (ઉપરક્ત- ઉપયોગવાળો) વર્તતો થકો, પરદ્રવ્યને વિષે શુભ કે અશુભ ભાવને ધારણ કરે છે, તે (જીવ) સ્વચારિત્રથી ભ્રષ્ટ એવો પરચારિત્રનો આચરનાર કહેવામાં આવે છે; કારણ કે ખરેખર સ્વદ્રવ્યને વિષે શુદ્ધ-ઉપયોગરૂપ પરિણતિ તે સ્વચારિત્ર છે અને પરદ્રવ્યને વિષે ૧સોપરાગ-ઉપયોગરૂપ પરિણતિ તે પરચારિત્ર છે. ૧૫૬.
પં. ૨૮