Panchastikay Sangrah (Gujarati). Gatha: 158.

< Previous Page   Next Page >

Download pdf file of shastra: http://samyakdarshan.org/DdM
Tiny url for this page: http://samyakdarshan.org/GcwwBaK

Page 218 of 256
PDF/HTML Page 258 of 296

 

Hide bookmarks
background image
૨૧
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
आस्रवति येन पुण्यं पापं वात्मनोऽथ भावेन
स तेन परचरित्रः भवतीति जिनाः प्ररूपयन्ति ।।१५७।।
परचरितप्रवृत्तेर्बन्धहेतुत्वेन मोक्षमार्गत्वनिषेधनमेतत
इह किल शुभोपरक्तो भावः पुण्यास्रवः, अशुभोपरक्तः पापास्रव इति तत्र
पुण्यं पापं वा येन भावेनास्रवति यस्य जीवस्य यदि स भावो भवति स जीवस्तदा
तेन परचरित इति प्ररूप्यते
ततः परचरितप्रवृत्तिर्बन्धमार्ग एव, न मोक्षमार्ग
इति ।।१५७।।
जो सव्वसंगमुक्को णण्णमणो अप्पणं सहावेण
जाणदि पस्सदि णियदं सो सगचरियं चरदि जीवो ।।१५८।।
અન્વયાર્થઃ[ येन भावेन ] જે ભાવથી [ आत्मनः ] આત્માને [ पुण्यं पापं वा ]
પુણ્ય અથવા પાપ [ अथ आस्रवति ] આસ્રવે છે, [ तेन ] તે ભાવ વડે [ सः ] તે (જીવ)
[ परचरित्रः भवति ] પરચારિત્ર છે[ इति ] એમ [ जिनाः ] જિનો [ प्ररूपयन्ति ] પ્રરૂપે
છે.
ટીકાઃઅહીં, પરચારિત્રપ્રવૃત્તિ બંધહેતુભૂત હોવાથી તેને મોક્ષમાર્ગપણાનો
નિષેધ કરવામાં આવ્યો છે (અર્થાત્ પરચારિત્રમાં પ્રવર્તન બંધનો હેતુ હોવાથી તે
મોક્ષમાર્ગ નથી એમ આ ગાથામાં દર્શાવ્યું છે).
અહીં ખરેખર શુભોપરક્ત ભાવ (શુભરૂપ વિકારી ભાવ) તે પુણ્યાસ્રવ છે
અને અશુભોપરક્ત ભાવ (અશુભરૂપ વિકારી ભાવ) પાપાસ્રવ છે. ત્યાં, પુણ્ય અથવા
પાપ જે ભાવથી આસ્રવે છે, તે ભાવ જ્યારે જે જીવને હોય ત્યારે તે જીવ તે ભાવ
વડે પરચારિત્ર છે
એમ (જિનેંદ્રો દ્વારા) પ્રરૂપવામાં આવે છે. તેથી (એમ નક્કી થાય
છે કે) પરચારિત્રમાં પ્રવૃત્તિ તે બંધમાર્ગ જ છે, મોક્ષમાર્ગ નથી. ૧૫૭.
સૌ-સંગમુક્ત અનન્યચિત્ત સ્વભાવથી નિજ આત્મને
જાણે અને દેખે નિયત રહી, તે સ્વચરિતપ્રવૃત્ત છે. ૧૫૮.