अर्हदादिभक्तिरूपपरसमयप्रवृत्तेः साक्षान्मोक्षहेतुत्वाभावेऽपि परम्परया मोक्षहेतुत्वसद्भाव- द्योतनमेतत् । દ્રવ્યમાં વિશ્રાંતિરૂપ પારમાર્થિક સિદ્ધભક્તિ ધરતો થકો ૧સ્વસમયપ્રવૃત્તિની પ્રસિદ્ધિવાળો હોય છે. તે કારણથી તે જ જીવ કર્મબંધનો નિઃશેષ નાશ કરી સિદ્ધિને પામે છે. ૧૬૯.
અન્વયાર્થઃ — [ संयमतपःसम्प्रयुक्तस्य ] સંયમતપસંયુક્ત હોવા છતાં, [ सपदार्थं तीर्थकरम् ] નવ પદાર્થો તથા તીર્થંકર પ્રત્યે [ अभिगतबुद्धेः ] જેની બુદ્ધિનું જોડાણ વર્તે છે અને [ सूत्ररोचिनः ] સૂત્રો પ્રત્યે જેને રુચિ (પ્રીતિ) વર્તે છે, તે જીવને [ निर्वाणं ] નિર્વાણ [ दूरतरम् ] દૂરતર (વિશેષ દૂર) છે.
ટીકાઃ — અહીં, અર્હંતાદિની ભક્તિરૂપ પરસમયપ્રવૃત્તિમાં સાક્ષાત્ મોક્ષહેતુપણાનો અભાવ હોવા છતાં પરંપરાએ મોક્ષહેતુપણાનો ૨સદ્ભાવ દર્શાવ્યો છે. ૧. સ્વસમયપ્રવૃત્તિની પ્રસિદ્ધિવાળો = જેને સ્વસમયમાં પ્રવૃત્તિ પ્રસિદ્ધ થઇ છે એવો. [જે જીવ
રાગાદિપરિણતિનો સંપૂર્ણ નાશ કરી નિઃસંગ અને નિર્મમ થયો છે તે પરમાર્થ-સિદ્ધભક્તિવંત જીવે સ્વસમયમાં પ્રવૃત્તિ સિદ્ધ કરી છે તેથી સ્વસમયપ્રવૃત્તિને લીધે તે જ જીવ કર્મબંધનો ક્ષય કરી મોક્ષને પામે છે, અન્ય નહિ.] ૨. ખરેખર તો એમ છે કે — જ્ઞાનીને શુદ્ધાશુદ્ધરૂપ મિશ્ર પર્યાયમાં જે ભક્તિ-આદિરૂપ શુભ અંશ વર્તે
(મંદશુદ્ધિરૂપ) શુદ્ધ અંશ પરિણમે છે તે સંવરનિર્જરાનો અને (તેટલા અંશે) મોક્ષનો હેતુ છે. ખરેખર
આમ હોવા છતાં, શુદ્ધ અંશમાં રહેલા સંવર-નિર્જરા-મોક્ષહેતુત્વનો આરોપ તેની સાથેના ભક્તિ-
આદિરૂપ શુભ અંશમાં કરીને તે શુભ ભાવોને દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિની પરંપરા સહિત