तावन्मात्ररागकलिकलङ्कितस्वान्तः साक्षान्मोक्षस्यान्तरायीभूतं विषयविषद्रुमामोदमोहितान्तरङ्गं स्वर्गलोकं समासाद्य, सुचिरं रागाङ्गारैः पच्यमानोऽन्तस्ताम्यतीति ।।१७१।।
અન્વયાર્થઃ — [ यः ] જે (જીવ), [ अर्हत्सिद्धचैत्यप्रवचनभक्तः ] અર્હંત, સિદ્ધ, ચૈત્ય ( – અર્હંતાદિની પ્રતિમા) અને પ્રવચન ( – શાસ્ત્ર) પ્રત્યે ભક્તિયુક્ત વર્તતો થકો, [ परेण नियमेन ] પરમ સંયમ સહિત [ तपःकर्म ] તપકર્મ ( – તપરૂપ કાર્ય) [ करोति ] કરે છે, [ सः ] તે [ सुरलोकं ] દેવલોકને [ समादत्ते ] સંપ્રાપ્ત કરે છે.
ટીકાઃ — આ, માત્ર અર્હંતાદિની ભક્તિ જેટલા રાગથી ઉત્પન્ન થતો જે સાક્ષાત્ મોક્ષનો અંતરાય તેનું પ્રકાશન છે.
જે (જીવ) ખરેખર અર્હંતાદિની ભક્તિને આધીન બુદ્ધિવાળો વર્તતો થકો ૧પરમસંયમપ્રધાન અતિતીવ્ર તપ તપે છે, તે (જીવ), માત્ર તેટલા રાગરૂપ ક્લેશથી જેનું નિજ અંતઃકરણ કલંકિત ( – મલિન) છે એવો વર્તતો થકો, વિષયવિષવૃક્ષના ૨આમોદથી જ્યાં અંતરંગ ( – અંતઃકરણ) મોહિત હોય છે એવા સ્વર્ગલોકને — કે જે સાક્ષાત્ મોક્ષને અંતરાયભૂત છે તેને — સંપ્રાપ્ત કરીને, સુચિરકાળ પર્યંત ( – ઘણા લાંબા કાળ સુધી) રાગરૂપી અંગારાઓથી શેકાતો થકો અંદરમાં સંતપ્ત ( – દુઃખી, વ્યથિત) થાય છે. ૧૭૧.
૨. આમોદ = (૧) સુગંધ; (૨) મોજ.