Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 246 of 256
PDF/HTML Page 286 of 296

 

૨૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
प्रभूतपुण्यभारमन्थरितचित्तवृत्तयः, सुरलोकादिक्लेशप्राप्तिपरम्परया सुचिरं संसारसागरे
भ्रमन्तीति
उक्तञ्च‘‘चरणकरणप्पहाणा ससमयपरमत्थमुक्कवावारा चरणकरणस्स सारं
णिच्छयसुद्धं ण जाणंति
’’ ।।

येऽत्र केवलनिश्चयावलम्बिनः सकलक्रियाकर्मकाण्डाडम्बरविरक्तबुद्धयोऽर्धमीलित- ભારથી મંથર થઈ ગયેલી ચિતવૃત્તિવાળા વર્તતા થકા, દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિની પરંપરા વડે ઘણા લાંબા કાળ સુધી સંસારસાગરમાં ભમે છે. કહ્યું પણ છે કેचरण- करणप्पहाणा ससमयपरमत्थमुक्कवावारा चरणकरणस्स सारं णिच्छयसुद्धं ण जाणंति ।। [અર્થાત જેઓ ચરણપરિણામપ્રધાન છે અને સ્વસમયરૂપ પરમાર્થમાં વ્યાપારરહિત છે, તેઓ ચરણપરિણામનો સાર જે નિશ્ચયશુદ્ધ (આત્મા) તેને જાણતા નથી.]

[હવે કેવળનિશ્ચયાવલંબી (અજ્ઞાની) જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છેઃ]

હવે, જેઓ કેવળનિશ્ચયાવલંબી છે, સકળ ક્રિયાકર્મકાંડના આડંબરમાં વિરક્ત બુદ્ધિવાળા વર્તતા થકા, આંખો અર્ધી-વિંચેલી રાખી કાંઇક પણ સ્વબુદ્ધિથી અવલોકીને ૧. મંથર = મંદ; જડ; સુસ્ત. ૨. આ ગાથાની સંસ્કૃત છાયા આ પ્રમાણે છેઃ

चरणकरणप्रधानाः स्वसमयपरमार्थमुक्तव्यापाराः

चरणकरणस्य सारं निश्चयशुद्धं न जानन्ति ।। ૩. શ્રી જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ-ટીકામાં વ્યવહાર-એકાંતનું નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરવામાં

આવ્યું છેઃ
જે કોઈ જીવો વિશુદ્ધજ્ઞાનદર્શનસ્વભાવવાળા શુદ્ધાત્મતત્ત્વના સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ
નિશ્ચયમોક્ષમાર્ગથી નિરપેક્ષ કેવળશુભાનુષ્ઠાનરૂપ વ્યવહારનયને જ મોક્ષમાર્ગ માને છે, તેઓ
તેના વડે દેવલોકાદિના ક્લેશની પરંપરા પામતા થકા સંસારમાં પરિભ્રમણ કરે છે; પરંતુ
જો શુદ્ધાત્માનુભૂતિલક્ષણ નિશ્ચયમોક્ષમાર્ગને માને અને નિશ્ચયમોક્ષમાર્ગનું અનુષ્ઠાન કરવાની
શક્તિના અભાવને લીધે નિશ્ચયસાધક શુભાનુષ્ઠાન કરે, તો તેઓ સરાગ સમ્યગ્દ્રષ્ટિ છે
અને પરંપરાએ મોક્ષને પામે છે.
આમ વ્યવહાર-એકાંતના નિરાકરણની મુખ્યતાથી બે વાક્ય
કહેવામાં આવ્યાં.
[અહીં જે ‘સરાગ સમ્યગ્દ્રષ્ટિ’ જીવો કહ્યા તે જીવોને સમ્યગ્દર્શન તો યથાર્થ જ પ્રગટ્યું
છે પરંતુ ચારિત્ર-અપેક્ષાએ તેમને મુખ્યપણે રાગ હયાત હોવાથી તેમને ‘સરાગ સમ્યગ્દ્રષ્ટિ’ કહ્યા
છે એમ સમજવું. વળી તેમને જે શુભ અનુષ્ઠાન છે તે માત્ર ઉપચારથી જ ‘નિશ્ચયસાધક
(
નિશ્ચયના સાધનભૂત)’ કહેવામાં આવ્યું છે એમ સમજવું.]