ये तु पुनरपुनर्भवाय नित्यविहितोद्योगमहाभागा भगवन्तो निश्चयव्यवहारयो- रन्यतरानवलम्बनेनात्यन्तमध्यस्थीभूताः शुद्धचैतन्यरूपात्मतत्त्वविश्रान्तिविरचनोन्मुखाः प्रमादोदयानुवृत्तिनिवर्तिकां क्रियाकाण्डपरिणतिं माहात्म्यान्निवारयन्तोऽत्यन्त- मुदासीना यथाशक्त्याऽऽत्मानमात्मनाऽऽत्मनि सञ्चेतयमाना नित्योपयुक्ता निवसन्ति, ते खलु स्वतत्त्वविश्रान्त्यनुसारेण क्रमेण कर्माणि सन्न्यसन्तोऽत्यन्तनिष्प्रमादा
[હવે નિશ્ચય-વ્યવહાર બન્નેનો ૧સુમેળ રહે એવી રીતે ભૂમિકાનુસાર પ્રવર્તનારા જ્ઞાની જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છેઃ — ]
પરંતુ જે, અપુનર્ભવને (મોક્ષને) માટે નિત્ય ઉદ્યોગ કરનારા ૨મહાભાગ ભગવંતો, નિશ્ચય-વ્યવહારમાંથી કોઈ ૩એકને જ નહિ અવલંબતા હોવાથી ( — કેવળનિશ્ચયાવલંબી કે કેવળવ્યવહારાવલંબી નહિ હોવાથી) અત્યંત મધ્યસ્થ વર્તતા, શુદ્ધચૈતન્યરૂપ આત્મતત્ત્વમાં વિશ્રાંતિના ૪વિરચન પ્રત્યે અભિમુખ વર્તતા, પ્રમાદના ઉદયને અનુસરતી વૃત્તિને નિવર્તાવનારી (ટાળનારી) ક્રિયાકાંડપરિણતિને માહાત્મ્યમાંથી વારતા ( – શુભ ક્રિયાકાંડપરિણતિ હઠ વિના સહજપણે ભૂમિકાનુસાર વર્તતી હોવા છતાં અંતરંગમાં તેને માહાત્મ્ય નહિ અર્પતા), અત્યંત ઉદાસીન વર્તતા, યથાશક્તિ આત્માને આત્માથી આત્મામાં સંચેતતા (અનુભવતા) થકા નિત્ય-ઉપયુક્ત રહે છે, તેઓ ( – તે મહાભાગ ભગવંતો), ખરેખર સ્વતત્ત્વમાં વિશ્રાંતિ અનુસાર ક્રમે કર્મનો સંન્યાસ કરતા ( – સ્વતત્ત્વમાં સ્થિરતા થતી જાય તેના પ્રમાણમાં શુભ ભાવોને છોડતા), અત્યંત નિષ્પ્રમાદ વર્તતા, અત્યંત નિષ્કંપમૂર્તિ હોવાથી જેમને વનસ્પતિની ઉપમા આપવામાં ૧. નિશ્ચય – વ્યવહારના સુમેળની સ્પષ્ટતા માટે ૨૪૧મા પાનાની બીજી ફૂટનોટ જુઓ. ૨. મહાભાગ = મહા પવિત્ર; મહા ગુણિયલ; મહા ભાગ્યશાળી. ૩. મોક્ષને માટે નિત્ય ઉદ્યમ કરનારા મહાપવિત્ર ભગવંતોને ( – મોક્ષમાર્ગી જ્ઞાની જીવોને) નિરંતર
શુદ્ધદ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપનું સમ્યક્ અવલંબન વર્તતું હોવાથી તે જીવોને તે અવલંબનની તરતમતા પ્રમાણે સવિકલ્પ દશામાં ભૂમિકાનુસાર શુદ્ધપરિણતિ તેમ જ શુભપરિણતિનો યથોચિત સુમેળ (હઠ વિના) હોય છે તેથી તે જીવો આ શાસ્ત્રમાં (૨૪૬મા પાને) જેમને કેવળનિશ્ચયાવલંબી કહ્યા છે એવા કેવળનિશ્ચયાવલંબી નથી તેમ જ (૨૪૫મા પાને) જેમને કેવળવ્યવહારાવલંબી કહ્યા છે એવા કેવળવ્યવહારાવલંબી નથી. ૪.વિરચન = વિશેષપણે રચવું તે; રચના; રચવું તે. પં. ૩૨