૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
समणमुहुग्गदमट्ठं चदुग्गदिणिवारणं सणिव्वाणं ।
एसो पणमिय सिरसा समयमिणं सुणह वोच्छामि ।।२।।
જીવાસ્તિકાયાદિ સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય અને પાંચ અસ્તિકાયનું સંશય-વિમોહ-
વિભ્રમ રહિત નિરૂપણ કરતી હોવાથી અથવા પૂર્વાપરવિરોધાદિ દોષ રહિત હોવાથી
અથવા યુગપદ્ સર્વ જીવોને પોતપોતાની ભાષામાં સ્પષ્ટ અર્થનું પ્રતિપાદન કરતી હોવાથી
વિશદ-સ્પષ્ટ-વ્યક્ત છે. આ રીતે જિનભગવાનની વાણી જ પ્રમાણભૂત છે; એકાંતે
અપૌરુષેય વચન કે વિચિત્ર કથારૂપ કલ્પિત પુરાણવચનો પ્રમાણભૂત નથી. (૩) ત્રીજું,
વિભ્રમ રહિત નિરૂપણ કરતી હોવાથી અથવા પૂર્વાપરવિરોધાદિ દોષ રહિત હોવાથી
અથવા યુગપદ્ સર્વ જીવોને પોતપોતાની ભાષામાં સ્પષ્ટ અર્થનું પ્રતિપાદન કરતી હોવાથી
વિશદ-સ્પષ્ટ-વ્યક્ત છે. આ રીતે જિનભગવાનની વાણી જ પ્રમાણભૂત છે; એકાંતે
અપૌરુષેય વચન કે વિચિત્ર કથારૂપ કલ્પિત પુરાણવચનો પ્રમાણભૂત નથી. (૩) ત્રીજું,
અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જાણનારો અનંત કેવળજ્ઞાનગુણ જિનભગવંતોને વર્તે છે. આ
રીતે બુદ્ધિ આદિ સાત ૠદ્ધિ તેમ જ મતિજ્ઞાનાદિ ચતુર્વિધ જ્ઞાનથી સંપન્ન ગણધરદેવાદિ
યોગીંદ્રોને પણ તેઓ વંદ્ય છે. (૪) ચોથું, પાંચ પ્રકારના સંસારને જિનભગવંતોએ જીત્યો
રીતે બુદ્ધિ આદિ સાત ૠદ્ધિ તેમ જ મતિજ્ઞાનાદિ ચતુર્વિધ જ્ઞાનથી સંપન્ન ગણધરદેવાદિ
યોગીંદ્રોને પણ તેઓ વંદ્ય છે. (૪) ચોથું, પાંચ પ્રકારના સંસારને જિનભગવંતોએ જીત્યો
છે. આ રીતે કૃતકૃત્યપણાને લીધે તેઓ જ બીજા અકૃતકૃત્ય જીવોનું શરણ છે, અન્ય
કોઈ નહિ. — આ પ્રમાણે ચાર વિશેષણોથી યુક્ત જિનભગવંતોને ગ્રંથના આદિમાં ભાવ-
કોઈ નહિ. — આ પ્રમાણે ચાર વિશેષણોથી યુક્ત જિનભગવંતોને ગ્રંથના આદિમાં ભાવ-
નમસ્કાર કરીને મંગળ કર્યું.
પ્રશ્નઃ — જે શાસ્ત્ર પોતે જ મંગળ છે, તેનું મંગળ શા માટે કરવામાં આવે છે?
ઉત્તરઃ — ભક્તિ અર્થે મંગળનું પણ *મંગળ કરવામાં આવે છે. સૂર્યને દીપકથી, મહાસાગરને જળથી, વાગીશ્વરીને (સરસ્વતીને) વાણીથી અને મંગળને મંગળથી અર્ચવામાં આવે છે. ૧.
આ સમયને શિરનમનપૂર્વક ભાખું છું, સુણજો તમે;
જિનવદનનિર્ગત-અર્થમય, ચઉગતિહરણ, શિવહેતુ છે. ૨.
* આ ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં, શાસ્ત્રનું મંગળ, શાસ્ત્રનું નિમિત્ત, શાસ્ત્રનો હેતુ (ફળ), શાસ્ત્રનું પરિમાણ, શાસ્ત્રનું નામ અને શાસ્ત્રના કર્તા — એ છ બાબતોનું વિસ્તૃત વિવેચન કર્યું છે.
વળી શ્રી જયસેનાચાર્યદેવે આ ગાથાના શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ સમજાવીને, ‘એ રીતે વ્યાખ્યાનકાળે સર્વત્ર શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ યોજવાયોગ્ય છે’ એમ કહ્યું છે.