રહેલાં) હોવાથી તેમને સામાન્યવિશેષ-અસ્તિત્વ પણ છે એમ નક્કી કરવું. તેઓ
અસ્તિત્વમાં નિયત હોવા છતાં (જેમ વાસણમાં રહેલું ઘી વાસણથી અન્યમય છે તેમ)
અસ્તિત્વથી અન્યમય નથી; કારણ કે તેઓ સદાય પોતાથી નિષ્પન્ન (અર્થાત્ પોતાથી
સત્) હોવાને લીધે (અસ્તિત્વથી) અનન્યમય છે (જેમ અગ્નિ ઉષ્ણતાથી અનન્યમય
છે તેમ). ‘અસ્તિત્વથી અનન્યમય’ હોવા છતાં તેમનું ‘અસ્તિત્વમાં નિયતપણું’
નયપ્રયોગથી છે. બે નયો ભગવાને કહ્યા છે — દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. ત્યાં કથન
એક નયને આધીન હોતું નથી પરંતુ તે બન્ને નયોને આધીન હોય છે. માટે તેઓ પર્યાયાર્થિક કથનથી જે પોતાથી કથંચિત્ ભિન્ન પણ છે એવા અસ્તિત્વમાં વ્યવસ્થિત
(નિશ્ચિત રહેલાં) છે અને દ્રવ્યાર્થિક કથનથી સ્વયમેવ સત્ (-વિદ્યમાન, હયાત) હોવાને
લીધે અસ્તિત્વથી અનન્યમય છે.
તેમને કાયપણું પણ છે કારણ કે તેઓ અણુમહાન છે. અહીં અણુઓ એટલેપ્રદેશો — મૂર્ત અને અમૂર્ત નિર્વિભાગ (નાનામાં નાના) અંશો; ‘તેમના વડે (-બહુપ્રદેશો વડે) મહાન હોય’ તે અણુમહાન; એટલે કે પ્રદેશપ્રચયાત્મક (-પ્રદેશોનાસમૂહમય) હોય તે અણુમહાન. આ રીતે તેમને (ઉપર્યુક્ત પાંચ દ્રવ્યોને) કાયત્વ સિદ્ધથયું. (ઉપર જે અણુમહાનની વ્યુત્પત્તિ કરી તેમાં અણુઓને અર્થાત્ પ્રદેશોને માટેબહુવચન વાપર્યું છે અને સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે બહુવચનમાં દ્વિવચન સમાતું નથી તેથી હવે વ્યુત્પત્તિમાં જરા ભાષાનો ફેર કરીને દ્વિ-અણુક સ્કંધોને પણ અણુમહાન બતાવીને તેમનું કાયત્વ સિદ્ધ કરવામાં આવે છેઃ) ‘બે અણુઓ (-બે પ્રદેશો) વડેમહાન હોય’ તે અણુમહાન — એવી વ્યુત્પત્તિથી દ્વિ-અણુક પુદ્ગલસ્કંધોને પણ (અણુ-મહાનપણું હોવાથી) કાયત્વ છે. (હવે પરમાણુઓને અણુમહાનપણું કઈ રીતે છે તેબતાવીને પરમાણુઓનું પણ કાયત્વ સિદ્ધ કરવામાં આવે છેઃ) વ્યક્તિ અને શક્તિરૂપે