साधयन्ति । अनुमीयते च धर्माधर्माकाशानां प्रत्येकमूर्ध्वाऽधोमध्यलोकविभागरूपेण
માટે કાળાણુઓ સિવાય બીજા બધાને વિષે કાયત્વ નામનું સાવયવપણું નક્કી કરવું.
તેમનું જે ત્રણ લોકરૂપે નિષ્પન્નપણું (-રચાવું) કહ્યું તે પણ તેમનું અસ્તિકાયપણું (-અસ્તિપણું તથા કાયપણું) સિદ્ધ કરવાના સાધન તરીકે કહ્યું છે. તે આ પ્રમાણેઃ —
(૧) ઊર્ધ્વ-અધો-મધ્ય ત્રણ લોકના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવાળા ભાવો — કે જેઓ ત્રણ લોકના વિશેષસ્વરૂપ છે તેઓ — ભવતા થકા (પરિણમતા થકા) તેમના મૂળ પદાર્થોનું ગુણપર્યાયયુક્ત અસ્તિત્વ સિદ્ધ કરે છે. (ત્રણ લોકના ભાવો સદાય કથંચિત્ સદ્રશ રહે છે અને કથંચિત્ પલટાયા કરે છે તે એમ સિદ્ધ કરે છે કે ત્રણ લોકના મૂળ પદાર્થો કથંચિત્ સદ્રશ રહે છે અને કથંચિત્ પલટાયા કરે છે અર્થાત્ તે મૂળ પદાર્થોને ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્યવાળું અથવા ગુણપર્યાયવાળું અસ્તિત્વ છે.)
(૨) વળી ધર્મ, અધર્મ અને આકાશ — એ પ્રત્યેક પદાર્થ ઊર્ધ્વ-અધો-મધ્ય એવા લોકના (ત્રણ) ૨વિભાગરૂપે પરિણત હોવાથી તેમને કાયત્વ નામનું સાવયવપણું છે એમ અનુમાન કરી શકાય છે. દરેક જીવને પણ ઊર્ધ્વ-અધો-મધ્ય એવા લોકના (ત્રણ) ૧. અવિભાજ્ય=જેના વિભાગ ન કરી શકાય એવા. ૨. જો લોકના ઊર્ધ્વ, અધઃ અને મધ્ય એવા ત્રણ ભાગ છે તો પછી ‘આ ઊર્ધ્વલોકનો આકાશભાગ