वा विद्यमानमात्रं वस्तु । सर्वथा नित्यस्य वस्तुनस्तत्त्वतः क्रमभुवां भावानामभावात्कुतो विकारवत्त्वम् । सर्वथा क्षणिकस्य च तत्त्वतः प्रत्यभिज्ञानाभावात् कुत एकसन्तानत्वम् । ततः प्रत्यभिज्ञानहेतुभूतेन केनचित्स्वरूपेण ध्रौव्यमालम्ब्यमानं काभ्यांचित्क्रमप्रवृत्ताभ्यां स्वरूपाभ्यां प्रलीयमानमुपजायमानं चैककालमेव परमार्थतस्त्रितयीमवस्थां बिभ्राणं वस्तु सदवबोध्यम् । अत एव सत्ताप्युत्पादव्ययध्रौव्यात्मिकाऽवबोद्धव्या, भावभाववतोः कथञ्चिदेकस्वरूपत्वात् । सा च
અન્વયાર્થઃ — [सत्ता] સત્તા [भङ्गोत्पादध्रौव्यात्मिका] ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક, [एका] એક, [सर्वपदार्था] સર્વપદાર્થસ્થિત, [सविश्वरूपा] સવિશ્વરૂપ, [अनन्तपर्याया] અનંતપર્યાયમય અને [सप्रतिपक्षा] સપ્રતિપક્ષ [भवति] છે.
સર્વથા નિત્ય વસ્તુને ખરેખર ક્રમભાવી ભાવોનો અભાવ થવાથી વિકાર (-ફેરફાર, પરિણામ) ક્યાંથી થાય? અને સર્વથા ક્ષણિક વસ્તુને વિષે ખરેખર ૨પ્રત્યભિજ્ઞાનનો અભાવ થવાથી એકપ્રવાહપણું ક્યાંથી રહે? માટે પ્રત્યભિજ્ઞાનના હેતુભૂત કોઈ સ્વરૂપથી ધ્રુવ રહેતી અને કોઈ બે ક્રમવર્તી સ્વરૂપોથી નષ્ટ થતી ને ઊપજતી — એ રીતે એક જ કાળે પરમાર્થે ત્રેવડી (ત્રણ અંશવાળી) અવસ્થાને ધરતી વસ્તુ સત્ જાણવી. તેથી જ ‘સત્તા’ પણ ‘ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક (ત્રિલક્ષણા) જાણવી, કારણ કે ૩ભાવ અને ભાવવાનનું કથંચિત્ એક સ્વરૂપ હોય છે. વળી તે (સત્તા) ‘એક’ છે, કારણ કે તે ૧. સત્ત્વ=સત્પણું; હયાતપણું; વિદ્યમાનપણું; હયાતનો ભાવ; ‘છે’ એવો ભાવ. ૨. વસ્તુ સર્વથા ક્ષણિક હોય તો ‘જે પૂર્વે જોવામાં (-જાણવામાં) આવી હતી તે જ આ વસ્તુ છે’
એવું જ્ઞાન ન થઈ શકે. ૩. સત્તા ભાવ છે અને વસ્તુ ભાવવાન છે.