પ્રતિનિશ્ચિત એક એક પર્યાયોનું અનંતપણું થાય છે તેથી અનંતપર્યાયમય(સત્તા)ને
એકપર્યાયમયપણું છે (અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી
પણ છે).
આ રીતે બધું નિરવદ્ય છે (અર્થાત્ ઉપર કહેલું સર્વ સ્વરૂપ નિર્દોષ છે, નિર્બાધ છે, કિંચિત્ વિરોધવાળું નથી) કારણ કે તેનું (-સત્તાના સ્વરૂપનું) કથન સામાન્ય અને વિશેષના પ્રરૂપણ પ્રત્યે ઢળતા બે નયોને આધીન છે.
ભાવાર્થઃ — સામાન્યવિશેષાત્મક સત્તાનાં બે પડખાં છેઃએક પડખું તે મહાસત્તા અને બીજું પડખું તે અવાન્તરસત્તા. (૧) મહાસત્તા અવાન્તરસત્તારૂપે અસત્તા છે અને અવાન્તરસત્તા મહાસત્તારૂપે અસત્તા છે; તેથી જો મહાસત્તાને ‘સત્તા’ કહીએ તો અવાન્તરસત્તાને ‘અસત્તા’ કહેવાય. (૨) મહાસત્તા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એવાં ત્રણ લક્ષણવાળી છે તેથી તે ‘ત્રિલક્ષણા’ છે. વસ્તુના ઊપજતા સ્વરૂપનું ઉત્પાદ જ એક લક્ષણ છે, નષ્ટ થતા સ્વરૂપનું વ્યય જ એક લક્ષણ છે અને ધ્રુવ રહેતા સ્વરૂપનું ધ્રૌવ્ય જ એક લક્ષણ છે તેથી તે ત્રણ સ્વરૂપોમાંના પ્રત્યેકની અવાન્તરસત્તા એક જ લક્ષણવાળી હોવાથી ‘અત્રિલક્ષણા’ છે. (૩) મહાસત્તા સમસ્ત પદાર્થસમૂહમાં ‘સત્, સત્, સત્’ એવું સમાનપણું દર્શાવતી હોવાથી એક છે. એક વસ્તુની સ્વરૂપસત્તા બીજી કોઈ વસ્તુની સ્વરૂપસત્તા નથી, તેથી જેટલી વસ્તુઓ તેટલી સ્વરૂપસત્તાઓ; માટે આવી સ્વરૂપસત્તાઓ અથવા અવાન્તરસત્તાઓ ‘અનેક’ છે. (૪) સર્વ પદાર્થો સત્ છે તેથી મહાસત્તા ‘સર્વ પદાર્થોમાં રહેલી’ છે. વ્યક્તિગત પદાર્થોમાં રહેલી ભિન્નભિન્ન વ્યક્તિગત સત્તાઓ વડે જ પદાર્થોનું ભિન્નભિન્ન નિશ્ચિત વ્યક્તિત્વ રહી શકે, તેથી તે તે પદાર્થની અવાન્તરસત્તા તે તે ‘એક પદાર્થમાં જ સ્થિત’ છે. (૫) મહાસત્તા સમસ્ત વસ્તુસમૂહનાં રૂપો (સ્વભાવો) સહિત છે તેથી તે ‘સવિશ્વરૂપ’ (સર્વરૂપવાળી) છે. વસ્તુની સત્તાનું (કથંચિત્) એક રૂપ હોય તો જ તે વસ્તુનું નિશ્ચિત એક રૂપ (-ચોક્કસ એક સ્વભાવ)