Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 25 of 256
PDF/HTML Page 65 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૨૫
द्रव्यं सल्लक्षणकं उत्पादव्ययध्रुवत्वसंयुक्त म्
गुणपर्यायाश्रयं वा यत्तद्भणन्ति सर्वज्ञाः ।।१०।।
अत्र त्रेधा द्रव्यलक्षणमुक्त म्
सद्द्रव्यलक्षणम् उक्त लक्षणायाः सत्ताया अविशेषाद्द्रव्यस्य सत्स्वरूपमेव

लक्षणम् न चानेकान्तात्मकस्य द्रव्यस्य सन्मात्रमेव स्वं रूपं यतो लक्ष्यलक्षण- विभागाभाव इति उत्पादव्ययध्रौव्याणि वा द्रव्यलक्षणम् एकजात्यविरोधिनि क्रमभुवां भावानां संताने पूर्वभावविनाशः समुच्छेदः, उत्तरभावप्रादुर्भावश्च समुत्पादः, पूर्वोत्तरभावोच्छेदोत्पादयोरपि स्वजातेरपरित्यागो ध्रौव्यम् तानि सामान्यादेशाद-

અન્વયાર્થ[यत] જે [सल्लक्षणकम्] સત્’લક્ષણવાળું છે, [उत्पादव्यय- ध्रुवत्वसंयुक्तम्] જે ઉત્પાદવ્યયધ્રૌવ્યસંયુક્ત છે [वा] અથવા [गुणपर्यायाश्रयम्] જે ગુણપર્યાયોનો આશ્રય છે, [तद्] તેને [ सर्वज्ञाः ] સર્વજ્ઞો [द्रव्यं] દ્રવ્ય [भणन्ति] કહે છે.

ટીકાઅહીં ત્રણ પ્રકારે દ્રવ્યનું લક્ષણ કહ્યું છે.

સત્’ દ્રવ્યનું લક્ષણ છે. પૂર્વોક્ત લક્ષણવાળી સત્તાથી દ્રવ્ય અભિન્ન હોવાને લીધે ‘સત્’સ્વરૂપ જ દ્રવ્યનું લક્ષણ છે. વળી અનેકાંતાત્મક દ્રવ્યનું સત્માત્ર જ સ્વરૂપ નથી કે જેથી લક્ષ્યલક્ષણના વિભાગનો અભાવ થાય. (સત્તાથી દ્રવ્ય અભિન્ન છે તેથી દ્રવ્યનું જે સત્તારૂપ સ્વરૂપ તે જ દ્રવ્યનું લક્ષણ છે. પ્રશ્નજો સત્તા ને દ્રવ્ય અભિન્ન છે સત્તા દ્રવ્યનું સ્વરૂપ જ છે, તો ‘સત્તા લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ્ય છે’ એવો વિભાગ કઈ રીતે ઘટે છે? ઉત્તરઅનેકાંતાત્મક દ્રવ્યનાં અનંત સ્વરૂપો છે, તેમાંથી સત્તા પણ તેનું એક સ્વરૂપ છે; તેથી અનંતસ્વરૂપવાળું દ્રવ્ય લક્ષ્ય છે અને તેનું સત્તા નામનું સ્વરૂપ લક્ષણ છેએવો લક્ષ્યલક્ષણવિભાગ અવશ્ય ઘટે છે. આ રીતે અબાધિતપણે સત્ દ્રવ્યનું લક્ષણ છે.)

અથવા, ઉત્પાદવ્યયધ્રૌવ્ય દ્રવ્યનું લક્ષણ છે. *એક જાતિનો અવિરોધક એવો જે ક્રમભાવી ભાવોનો પ્રવાહ તેમાં પૂર્વ ભાવનો વિનાશ તે વ્યય છે, ઉત્તર ભાવનો પ્રાદુર્ભાવ (પછીના ભાવની એટલે કે વર્તમાન ભાવની ઉત્પત્તિ) તે ઉત્પાદ છે અને પૂર્વ-ઉત્તર ભાવોના વ્યય-ઉત્પાદ થતાં પણ સ્વજાતિનો અત્યાગ તે ધ્રૌવ્ય છે. તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય *દ્રવ્યમાં ક્રમભાવી ભાવોનો પ્રવાહ એક જાતિને ખંડતોતોડતો નથી અર્થાત્ જાતિ-અપેક્ષાએ સદા

એકપણું જ રાખે છે. પં. ૪