लक्षणम् । न चानेकान्तात्मकस्य द्रव्यस्य सन्मात्रमेव स्वं रूपं यतो लक्ष्यलक्षण- विभागाभाव इति । उत्पादव्ययध्रौव्याणि वा द्रव्यलक्षणम् । एकजात्यविरोधिनि क्रमभुवां भावानां संताने पूर्वभावविनाशः समुच्छेदः, उत्तरभावप्रादुर्भावश्च समुत्पादः, पूर्वोत्तरभावोच्छेदोत्पादयोरपि स्वजातेरपरित्यागो ध्रौव्यम् । तानि सामान्यादेशाद-
અન્વયાર્થઃ — [यत्] જે [सल्लक्षणकम्] ‘સત્’લક્ષણવાળું છે, [उत्पादव्यय- ध्रुवत्वसंयुक्तम्] જે ઉત્પાદવ્યયધ્રૌવ્યસંયુક્ત છે [वा] અથવા [गुणपर्यायाश्रयम्] જે ગુણપર્યાયોનો આશ્રય છે, [तद्] તેને [ सर्वज्ञाः ] સર્વજ્ઞો [द्रव्यं] દ્રવ્ય [भणन्ति] કહે છે.
‘સત્’ દ્રવ્યનું લક્ષણ છે. પૂર્વોક્ત લક્ષણવાળી સત્તાથી દ્રવ્ય અભિન્ન હોવાને લીધે ‘સત્’સ્વરૂપ જ દ્રવ્યનું લક્ષણ છે. વળી અનેકાંતાત્મક દ્રવ્યનું સત્માત્ર જ સ્વરૂપ નથી કે જેથી લક્ષ્યલક્ષણના વિભાગનો અભાવ થાય. (સત્તાથી દ્રવ્ય અભિન્ન છે તેથી દ્રવ્યનું જે સત્તારૂપ સ્વરૂપ તે જ દ્રવ્યનું લક્ષણ છે. પ્રશ્નઃ — જો સત્તા ને દ્રવ્ય અભિન્ન છે — સત્તા દ્રવ્યનું સ્વરૂપ જ છે, તો ‘સત્તા લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ્ય છે’ એવો વિભાગ કઈ રીતે ઘટે છે? ઉત્તરઃ — અનેકાંતાત્મક દ્રવ્યનાં અનંત સ્વરૂપો છે, તેમાંથી સત્તા પણ તેનું એક સ્વરૂપ છે; તેથી અનંતસ્વરૂપવાળું દ્રવ્ય લક્ષ્ય છે અને તેનું સત્તા નામનું સ્વરૂપ લક્ષણ છે — એવો લક્ષ્યલક્ષણવિભાગ અવશ્ય ઘટે છે. આ રીતે અબાધિતપણે સત્ દ્રવ્યનું લક્ષણ છે.)
અથવા, ઉત્પાદવ્યયધ્રૌવ્ય દ્રવ્યનું લક્ષણ છે. *એક જાતિનો અવિરોધક એવો જે ક્રમભાવી ભાવોનો પ્રવાહ તેમાં પૂર્વ ભાવનો વિનાશ તે વ્યય છે, ઉત્તર ભાવનો પ્રાદુર્ભાવ ( — પછીના ભાવની એટલે કે વર્તમાન ભાવની ઉત્પત્તિ) તે ઉત્પાદ છે અને પૂર્વ-ઉત્તર ભાવોના વ્યય-ઉત્પાદ થતાં પણ સ્વજાતિનો અત્યાગ તે ધ્રૌવ્ય છે. તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય *દ્રવ્યમાં ક્રમભાવી ભાવોનો પ્રવાહ એક જાતિને ખંડતો — તોડતો નથી અર્થાત્ જાતિ-અપેક્ષાએ સદા
એકપણું જ રાખે છે. પં. ૪