भवन्तीति । गुणपर्याया वा द्रव्यलक्षणम् । अनेकान्तात्मकस्य वस्तुनोऽन्वयिनो विशेषा
कथञ्चिदभिन्नाः स्वभावभूताः द्रव्यलक्षणतामापद्यन्ते । त्रयाणामप्यमीषां द्रव्यलक्षणा-
पर्यायैश्च सहैकत्वञ्चाख्याति । उत्पादव्ययध्रौव्याणि तु नित्यानित्यस्वरूपं परमार्थं
અથવા, ગુણપર્યાયો દ્રવ્યનું લક્ષણ છે. અનેકાંતાત્મક વસ્તુના +અન્વયી વિશેષો તે ગુણો છે અને વ્યતિરેકી વિશેષો તે પર્યાયો છે. તે ગુણપર્યાયો (ગુણો અને પર્યાયો) — કે જેઓ દ્રવ્યમાં એકીસાથે અને ક્રમે પ્રવર્તે છે, (દ્રવ્યથી) કથંચિત્ ભિન્ન ને કથંચિત્ અભિન્ન છે તથા સ્વભાવભૂત છે તેઓ — દ્રવ્યનું લક્ષણ છે.
દ્રવ્યનાં આ ત્રણે લક્ષણોમાંથી ( – સત્, ઉત્પાદવ્યયધ્રૌવ્ય અને ગુણપર્યાયો એ ત્રણ લક્ષણોમાંથી) એક કહેતાં બાકીનાં બંને (વગરકહ્યે) અર્થથી જ આવી જાય છે. જો દ્રવ્ય સત્ હોય, તો તે (૧) ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું અને (૨) ગુણપર્યાયવાળું હોય; જો ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું હોય, તો તે (૧) સત્ અને (૨) ગુણપર્યાયવાળું હોય; જો ગુણપર્યાયવાળું હોય, તો તે (૧) સત્ અને (૨) ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું હોય. તે આ પ્રમાણેઃ — સત્ નિત્યાનિત્યસ્વભાવવાળું હોવાથી (૧) ધ્રૌવ્યને અને ઉત્પાદ- વ્યયાત્મકતાને જાહેર કરે છે તથા (૨) ધ્રૌવ્યાત્મક ગુણો અને ઉત્પાદવ્યયાત્મક પર્યાયો સાથે એકત્વ દર્શાવે છે. ઉત્પાદવ્યયધ્રૌવ્ય (૧) નિત્યાનિત્યસ્વરૂપ ૧પારમાર્થિક સત્ને +અન્વય ને વ્યતિરેકના અર્થ માટે ૧૩મા પાને પદટિપ્પણ જુઓ. ૧. પારમાર્થિક=વાસ્તવિક; યથાર્થ; ખરું. (વાસ્તવિક સત્ નિત્યાનિત્યસ્વરૂપ હોય છે. ઉત્પાદવ્યય
સત્ને જણાવે છે. આ રીતે ‘દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું છે’ એમ કહેતાં ‘તે સત્ છે’ એમ પણ