Panchastikay Sangrah (Gujarati). Gatha: 16.

< Previous Page   Next Page >


Page 33 of 256
PDF/HTML Page 73 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૩૩

भावस्य सतो हि द्रव्यस्य न द्रव्यत्वेन विनाशः, अभावस्यासतोऽन्यद्रव्यस्य न द्रव्यत्वेनोत्पादः किन्तु भावाः सन्ति द्रव्याणि सदुच्छेदमसदुत्पादं चान्तरेणैव गुणपर्यायेषु विनाशमुत्पादं चारभन्ते यथा हि घृतोत्पत्तौ गोरसस्य सतो न विनाशः न चापि गोरसव्यतिरिक्त स्यार्थान्तरस्यासतः उत्पादः किन्तु गोरसस्यैव सदुच्छेदमसदुत्पादं चानुपलभ- मानस्य स्पर्शरसगन्धवर्णादिषु परिणामिषु गुणेषु पूर्वावस्थया विनश्यत्सूत्तरावस्थया प्रादुर्भवत्सु नश्यति च नवनीतपर्यायो घृतपर्याय उत्पद्यते, तथा सर्वभावानामपीति ।।१५।।

भावा जीवादीया जीवगुणा चेदणा य उवओगो
सुरणरणारयतिरिया जीवस्स य पज्जया बहुगा ।।१६।।

સત્નો વિનાશ હોવાનું નિષેધ્યું છે (અર્થાત્ ઉત્પાદ થતાં કાંઈ અસત્ની ઉત્પત્તિ થતી નથી અને વ્યય થતાં કાંઈ સત્નો વિનાશ થતો નથી એમ આ ગાથામાં કહ્યું છે).

ભાવનોસત્ દ્રવ્યનોદ્રવ્યપણે વિનાશ નથી, અભાવનોઅસત્ અન્ય- દ્રવ્યનોદ્રવ્યપણે ઉત્પાદ નથી; પરંતુ ભાવોસત્ દ્રવ્યો, સત્ના વિનાશ અને અસત્ના ઉત્પાદ વિના જ, ગુણપર્યાયોમાં વિનાશ અને ઉત્પાદ કરે છે. જેવી રીતે ઘીની ઉત્પત્તિને વિષે ગોરસનોસત્નોવિનાશ નથી તેમ જ ગોરસથી ભિન્ન પદાર્થાંતરનોઅસત્નો ઉત્પાદ નથી, પરંતુ ગોરસને જ, સત્નો વિનાશ અને અસત્નો ઉત્પાદ કર્યા વિના જ, પૂર્વ અવસ્થાથી વિનાશ પામતા અને ઉત્તર અવસ્થાથી ઉત્પન્ન થતા સ્પર્શ-રસ-ગંધ- વર્ણાદિક પરિણામી ગુણોમાં માખણપર્યાય વિનાશ પામે છે અને ઘીપર્યાય ઉત્પન્ન થાય છે; તેવી રીતે સર્વ ભાવોનું પણ તેમ જ છે [અર્થાત્ બધાં દ્રવ્યોને નવીન પર્યાયની ઉત્પત્તિને વિષે સત્નો વિનાશ નથી તેમ જ અસત્નો ઉત્પાદ નથી, પરંતુ સત્નો વિનાશ અને અસત્નો ઉત્પાદ કર્યા વિના જ, પહેલાંની (જૂની) અવસ્થાથી વિનાશ પામતા અને પછીની (નવીન) અવસ્થાથી ઉત્પન્ન થતા *પરિણામી ગુણોમાં પહેલાંનો પર્યાય વિનાશ પામે છે અને પછીનો પર્યાય ઉત્પન્ન થાય છે]. ૧૫.

જીવાદિ સૌ છે ‘ભાવ’, જીવગુણ ચેતના ઉપયોગ છે;
જીવપર્યયો તિર્યંચ-નારક-દેવ-મનુજ અનેક છે. ૧૬.
*પરિણામી=પરિણમનારા; પરિણામવાળા. (પર્યાયાર્થિક નયે ગુણો પરિણામી છે અર્થાત્ પરિણમે છે.)
પં. ૫