અન્વયાર્થઃ — [कालः इति] કાળ (નિશ્ચયકાળ) [व्यपगतपञ्चवर्णरसः] પાંચ વર્ણ ને પાંચ રસ રહિત, [व्यपगतद्विगन्धाष्टस्पर्शः च] બે ગંધ ને આઠ સ્પર્શ રહિત, [अगुरुलघुकः] અગુરુલઘુ, [अमूर्तः] અમૂર્ત [च] અને [वर्तनलक्षणः] વર્તના- લક્ષણવાળો છે.
લોકાકાશના એકેક પ્રદેશે એકેક કાળાણુ (કાળદ્રવ્ય) સ્થિત છે. આ કાળાણુ (કાળદ્રવ્ય) તે નિશ્ચયકાળ છે. અલોકાકાશમાં કાળાણુ (કાળદ્રવ્ય) નથી.
આ કાળ (નિશ્ચયકાળ) વર્ણ-ગંધ-રસ-સ્પર્શ રહિત છે, વર્ણાદિ રહિત હોવાથી અમૂર્ત છે અને અમૂર્ત હોવાથી સૂક્ષ્મ, અતીંદ્રિયજ્ઞાનગ્રાહ્ય છે. વળી તે ષટ્ગુણ- હાનિવૃદ્ધિસહિત અગુરુલઘુત્વસ્વભાવવાળો છે. કાળનું લક્ષણ વર્તનાહેતુત્વ છે; એટલે કે, જેમ શિયાળામાં સ્વયં અધ્યયનક્રિયા કરતા પુરુષને અગ્નિ સહકારી ( – બહિરંગ નિમિત્ત) છે અને જેમ સ્વયં ફરવાની ક્રિયા કરતા કુંભારના ચાકને નીચેની ખીલી સહકારી છે તેમ નિશ્ચયથી સ્વયમેવ પરિણામ પામતાં જીવ-પુદ્ગલાદિ દ્રવ્યોને (વ્યવહારથી) કાળાણુરૂપ નિશ્ચયકાળ બહિરંગ નિમિત્ત છે.
પ્રશ્નઃ — અલોકમાં કાળદ્રવ્ય નથી તો ત્યાં આકાશની પરિણતિ કઈ રીતે થઈ શકે?
ઉત્તરઃ — જેમ લટકતી મોટી દોરીને, મોટા વાંસને કે કુંભારના ચાકને એક જ જગ્યાએ સ્પર્શવા છતાં સર્વત્ર ચલન થાય છે, જેમ મનોજ્ઞ સ્પર્શનેન્દ્રિયવિષયનો કે રસનેન્દ્રિયવિષયનો શરીરના એક જ ભાગમાં સ્પર્શ થવા છતાં આખા આત્મામાં સુખાનુભવ થાય છે અને જેમ સર્પદંશ કે વ્રણ (જખમ) વગેરે શરીરના એક જ ભાગમાં થવા છતાં આખા આત્મામાં દુઃખવેદના થાય છે, તેમ કાળદ્રવ્ય લોકાકાશમાં જ હોવા છતાં આખા આકાશમાં પરિણતિ થાય છે કારણ કે આકાશ અખંડ એક દ્રવ્ય છે. *શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આ ૨૪મી ગાથાની ટીકા લખી નથી તેથી ગુજરાતી અનુવાદમાં અન્વયાર્થ