परमाणुप्रचलनायत्तः समयः । नयनपुटघटनायत्तो निमिषः । तत्संख्याविशेषतः काष्ठा कला नाली च । गगनमणिगमनायत्तो दिवारात्रः । तत्संख्याविशेषतः मासः, ऋतुः, अयनं, संवत्सरः इति । एवंविधो हि व्यवहारकालः केवलकालपर्यायमात्रत्वेनावधारयितुमशक्यत्वात् परायत्त इत्युपमीयत इति ।।२५।।
અહીં એ ખાસ ધ્યાનમાં રાખવું કે કાળ કોઈ દ્રવ્યને પરિણમાવતો નથી, સંપૂર્ણ સ્વતંત્રતાથી સ્વયમેવ પરિણમતાં દ્રવ્યોને તે બાહ્યનિમિત્તમાત્ર છે.
અન્વયાર્થઃ — [समयः] સમય, [निमिषः] નિમેષ, [काष्ठा] કાષ્ઠા, [कला च] કળા, [नाली] ઘડી, [ततः दिवारात्रः] અહોરાત્ર ( – દિવસ), [मासर्त्वयनसंवत्सरम्] માસ, તુ, અયન અને વર્ષ — [इति कालः] એવો જે કાળ (અર્થાત્ વ્યવહારકાળ) [परायत्तः] તે પરાશ્રિત છે.
પરમાણુના ગમનને આશ્રિત સમય છે; આંખના વીંચાવાને આશ્રિત નિમેષ છે; તેની ( – નિમેષની) અમુક સંખ્યાથી કાષ્ઠા, કળા અને ઘડી હોય છે; સૂર્યના ગમનને આશ્રિત અહોરાત્ર હોય છે; અને તેની ( – અહોરાત્રની) અમુક સંખ્યાથી માસ, તુ, અયન ને વર્ષ હોય છે. — આવો વ્યવહારકાળ કેવળ કાળના પર્યાયમાત્રપણે અવધારવો અશક્ય હોવાથી (અર્થાત્ પરની અપેક્ષા વિના — પરમાણુ, આંખ, સૂર્ય વગેરે પર પદાર્થોની અપેક્ષા વિના — વ્યવહારકાળનું માપ નક્કી કરવું અશક્ય હોવાથી) તેને ‘પરાશ્રિત’ એવી ઉપમા આપવામાં આવે છે.