सम्प्रत्ययः । स खलु दीर्घह्रस्वकालनिबन्धनं प्रमाणमन्तरेण न सम्भाव्यते । तदपि प्रमाणं पुद्गलद्रव्यपरिणाममन्तरेण नावधार्यते । ततः परपरिणामद्योतमानत्वाद्वयवहारकालो निश्चये- नानन्याश्रितोऽपि प्रतीत्यभव इत्यभिधीयते । तदत्रास्तिकायसामान्यप्ररूपणायामस्तिकायत्वा- भावात्साक्षादनुपन्यस्यमानोऽपि जीवपुद्गलपरिणामान्यथानुपपत्त्या निश्चयरूपस्तत्परिणामा- यत्ततया व्यवहाररूपः कालोऽस्तिकायपञ्चकवल्लोकरूपेण परिणत इति खरतर ऊष्टयाभ्युप गम्यत इति ।।२६।।
ટીકાઃ — અહીં વ્યવહારકાળના કથંચિત્ પરાશ્રિતપણા વિષે સત્ય યુક્તિ કહેવામાં આવી છે.
પ્રથમ તો, નિમેષ-સમયાદિ વ્યવહારકાળમાં ‘ચિર’ અને ‘ક્ષિપ્ર’ એવું જ્ઞાન ( – લાંબો કાળ અને ટૂંકો કાળ એવું જ્ઞાન) થાય છે. તે જ્ઞાન ખરેખર લાંબા અને ટૂંકા કાળ સાથે સંબંધ રાખનારા પ્રમાણ ( – કાળપરિમાણ) વિના સંભવતું નથી; અને તે પ્રમાણ પુદ્ગલદ્રવ્યના પરિણામ વિના નક્કી થતું નથી. તેથી, વ્યવહારકાળ પરના પરિણામ દ્વારા જણાતો હોવાથી — જોકે નિશ્ચયથી તે અન્યને આશ્રિત નથી તોપણ - આશ્રિતપણે ઊપજનારો ( – પરને અવલંબીને ઊપજતો) કહેવામાં આવે છે.
માટે, જોકે કાળને અસ્તિકાયપણાના અભાવને લીધે અહીં અસ્તિકાયની સામાન્ય પ્રરૂપણામાં તેનું *સાક્ષાત્ કથન નથી તોપણ, જીવ-પુદ્ગલના પરિણામની અન્યથા અનુપપત્તિ વડે સિદ્ધ થતો નિશ્ચયરૂપ કાળ અને તેમના પરિણામને આશ્રિત નક્કી થતો વ્યવહારરૂપ કાળ પંચાસ્તિકાયની માફક લોકરૂપે પરિણત છે — એમ, અતિ તીક્ષ્ણ દ્રષ્ટિથી જાણી શકાય છે.
ભાવાર્થઃ — ‘સમય’ ટૂંકો છે, ‘નિમેષ’ લાંબો છે અને મુહૂર્ત’ તેનાથી પણ લાંબું છે એવું જે જ્ઞાન થાય છે તે ‘સમય’, ‘નિમેષ’ વગેરેનું પરિમાણ જાણવાથી થાય છે; અને તે કાળપરિમાણ પુદ્ગલો દ્વારા નક્કી થાય છે. તેથી વ્યવહારકાળની ઉત્પત્તિ પુદ્ગલો દ્વારા થતી (ઉપચારથી) કહેવામાં આવે છે. *સાક્ષાત્=સીધું. [કાળનું વિસ્તૃત સીધું કથન શ્રી પ્રવચનસારના દ્વિતીય શ્રુતસ્કંધમાં કરવામાં
જાણી લેવું.]