સમયસાર ગાથા ૮૬ ] [ ૨૩૧
उभयोर्न परिणतिः स्वाद्यदनेकमनेकमेव सदा।। ५३।।
नैकस्य च क्रिये द्वे एकमनेकं
र्दुर्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः।
तत्किं ज्ञानधनस्य बन्धनमहो भूयो भवेदात्मनः।। ५५।।
વળી કહે છે કેઃ-
શ્લોકાર્થઃ– [न उभौ परिणमतः खलु] બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી, [उभयोः परिणामः न प्रजायेत] બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી અને [उभयोः परिणतिः न स्यात्] બે દ્રવ્યોની એક પરિણતિ-ક્રિયા થતી નથી; [यत्] કારણ કે [अनेकम् सदा अनेकम् एव] અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે, પલટીને એક થઈ જતાં નથી.
ભાવાર્થઃ– બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે, પ્રદેશભેદવાળી જ છે. બન્ને એક થઈને પરિણમતી નથી, એક પરિણામને ઉપજાવતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથી- એવો નિયમ છે. જો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય. પ૩.
ફરી આ અર્થને દ્રઢ કરે છેઃ-
શ્લોકાર્થઃ– [एकस्य हि द्वौ कर्तारौ न स्तः] એક દ્રવ્યના બે કર્તા ન હોય, [च] વળી [एकस्य द्वे कर्मणी न] એક દ્રવ્યનાં બે કર્મ ન હોય [च] અને [एकस्य द्वे क्रिये न] એક દ્રવ્યની બે ક્રિયા ન હોય; [यतः] કારણ કે [एकम् अनेकं न स्यात्] એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.
ભાવાર્થઃ– આ પ્રમાણે ઉપરના શ્લોકોમાં નિશ્ચયનયથી અથવા શુદ્ધદ્રવ્યાર્થિકનયથી વસ્તુસ્થિતિનો નિયમ કહ્યો. પ૪.
આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તાકર્મપણાનું અજ્ઞાન છે તે જો પરમાર્થનયના ગ્રહણથી એક વાર પણ વિલય પામે તો ફરીને ન આવે, એમ હવે કહે છેઃ-
શ્લોકાર્થઃ– [इह] આ જગતમાં [मोहिनाम्] મોહી (અજ્ઞાની) જીવોનો