Pravachan Ratnakar (Gujarati). Gatha: 96.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1112 of 4199

 

ततः स्थितं कर्तृत्वमूलमज्ञानम्।

एवं पराणि दव्वाणि अप्पयं कुणदि मंदबुद्धीओ।
अप्पाणं अवि य परं करेदि अण्णाणभावेण।। ९६ ।।

एवं पराणि द्रव्याणि आत्मानं करोति मन्दबुद्धिस्तु।
आत्मानमपि च परं करोति अज्ञानभावेन।। ९६ ।।

‘તેથી કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું’ એમ હવે કહે છેઃ-

જીવ મંદબુદ્ધિ એ રીતે પરદ્રવ્યને નિજરૂપ કરે,
નિજ આત્મને પણ એ રીતે અજ્ઞાનભાવે પર કરે. ૯૬.

ગાથાર્થઃ– [एवं तु] આ રીતે [मन्दबुद्धिः] મંદબુદ્ધિ અર્થાત્ અજ્ઞાની [अज्ञानभावेन] અજ્ઞાનભાવથી [पराणि द्रव्याणि] પર દ્રવ્યોને [आत्मानं] પોતારૂપ [करोति] કરે છે [अपि च] અને [आत्मानम्] પોતાને [परं] પર [करोति] કરે છે.

ટીકાઃ– ખરેખર એ રીતે, ‘હું ક્રોધ છું’ ઇત્યાદિની જેમ અને ‘હું ધર્મદ્રવ્ય છું’ ઇત્યાદિની જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે; તેથી આ આત્મા, જોકે તે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય છે તોપણ, અજ્ઞાનને લીધે જ સવિકાર અને સોપાધિક કરાયેલા ચૈતન્યપરિણામવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આ રીતે, ભૂતાવિષ્ટ (જેના શરીરમાં ભૂત પ્રવેશ્યું હોય એવા) પુરુષની જેમ અને ધ્યાનાવિષ્ટ (ધ્યાન કરતા) પુરુષની જેમ, આત્માને કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું. તે પ્રગટ દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ-

જેમ ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક કરતો થકો, મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર *આરંભથી ભરેલા અમાનુષ વ્યવહારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય-ભાવકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, અવિકાર અનુભૂતિમાત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત ચૈતન્યપરિણામવિકારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે * આરંભ = કાર્ય; વ્યાપાર; હિંસાયુક્ત વ્યાપાર.