दर्शनज्ञानचारित्रवत्त्वेनास्याशुद्धत्वमिति चेत्–
ण वि णाणं ण चरित्तं ण दंसणं जाणगो सुद्धो।।
नापि ज्ञानं न चरित्रं न दर्शनं ज्ञायकः शुद्धः।। ७।।
હવે પ્રશ્ન થાય છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર-એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે, તો એ તો ત્રણ ભેદ થયા, એ ભેદરૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે! આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-
ગાથાર્થઃ– [ज्ञानिनः] જ્ઞાનીને [चरित्रं दर्शनं ज्ञानम्] ચારિત્ર, દર્શન, જ્ઞાન- એ ત્રણ ભાવ [व्यवहारेण] વ્યવહારથી [उपदिश्यते] કહેવામાં આવે છે; નિશ્ચયથી [ज्ञानं अपि न] જ્ઞાન પણ નથી, [चरित्रं न] ચારિત્ર પણ નથી અને [दर्शनं न] દર્શન પણ નથી; જ્ઞાની તો એક [ज्ञायकः शुद्धः] શુદ્ધ જ્ઞાયક જ છે.
ટીકાઃ– આ જ્ઞાયક આત્માને બંધપર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો, પણ એને દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ વિદ્યમાન નથી; કારણ કે અનંત ધર્મોવાળા એક ધર્મીમાં જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને, ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે, ઉપદેશ કરતા આચાર્યોનો-જોકે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે તોપણ