Pravachan Ratnakar (Gujarati). Gatha: 98.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1162 of 4199

 

ગાથા–૯૮

तथापि–

ववहारेण दु आदा करेदि घडपडरधाणि दव्वाणि।
करणाणि य कम्माणि य णोकम्माणीह विविहाणि।। ९८ ।।
व्यवहारेण त्वात्मा करोति घटपटरथान् द्रव्याणि।
करणानि च कर्माणि च नोकर्माणीह विविधानि।। ९८ ।।

હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છેઃ-

ઘટ–પટ–રથાદિક વસ્તુઓ, કરણો અને કર્મો વળી,
નોકર્મ વિધવિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. ૯૮.

ગાથાર્થઃ– [व्यवहारेण तु] વ્યવહારથી અર્થાત્ વ્યવહારી લોકો માને છે કે [इह] જગતમાં [आत्मा] આત્મા [घटपटरथान् द्रव्याणि] ઘડો, કપડું, રથ ઇત્યાદિ વસ્તુઓને, [च] વળી [करणानि] ઇંદ્રિયોને, [विविधानि] અનેક પ્રકારનાં [कर्माणि] ક્રોધાદિ દ્રવ્યકર્મોને [च नोकर्माणि] અને શરીરાદિ નોકર્મોને [करोति] કરે છે.

ટીકાઃ– જેથી પોતાના (ઇચ્છારૂપ) વિકલ્પ અને (હસ્તાદિની ક્રિયારૂપ) વ્યાપાર વડે આ આત્મા ઘટ આદિ પરદ્રવ્યસ્વરૂપ બાહ્યકર્મને કરતો (વ્યવહારીઓને) પ્રતિભાસે છે તેથી તેવી રીતે (આત્મા) ક્રોધાદિ પરદ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મને પણ-બન્ને કર્મો પરદ્રવ્યસ્વરૂપ હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથી-કરે છે, એવો વ્યવહારી જીવોનો વ્યામોહ (ભ્રાંતિ, અજ્ઞાન) છે.

ભાવાર્થઃ– ઘટ-પટ, કર્મ-નોકર્મ ઇત્યાદિ પરદ્રવ્યોને આત્મા કરે છે એમ માનવું તે વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે.

* * *
સમયસાર ગાથા ૯૮ઃ મથાળું

હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છેઃ-

* ગાથા ૯૮ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેથી પોતાના (ઇચ્છારૂપ) વિકલ્પ અને (હસ્તાદિની ક્રિયારૂપ) વ્યાપાર વડે આ આત્મા ઘટ આદિ પરદ્રવ્યસ્વરૂપ બાહ્ય કર્મને કરતો (વ્યવહારીઓને) પ્રતિભાસે છે