तथापि–
करणाणि य कम्माणि य णोकम्माणीह विविहाणि।। ९८ ।।
करणानि च कर्माणि च नोकर्माणीह विविधानि।। ९८ ।।
હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છેઃ-
નોકર્મ વિધવિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. ૯૮.
ગાથાર્થઃ– [व्यवहारेण तु] વ્યવહારથી અર્થાત્ વ્યવહારી લોકો માને છે કે [इह] જગતમાં [आत्मा] આત્મા [घटपटरथान् द्रव्याणि] ઘડો, કપડું, રથ ઇત્યાદિ વસ્તુઓને, [च] વળી [करणानि] ઇંદ્રિયોને, [विविधानि] અનેક પ્રકારનાં [कर्माणि] ક્રોધાદિ દ્રવ્યકર્મોને [च नोकर्माणि] અને શરીરાદિ નોકર્મોને [करोति] કરે છે.
ટીકાઃ– જેથી પોતાના (ઇચ્છારૂપ) વિકલ્પ અને (હસ્તાદિની ક્રિયારૂપ) વ્યાપાર વડે આ આત્મા ઘટ આદિ પરદ્રવ્યસ્વરૂપ બાહ્યકર્મને કરતો (વ્યવહારીઓને) પ્રતિભાસે છે તેથી તેવી રીતે (આત્મા) ક્રોધાદિ પરદ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મને પણ-બન્ને કર્મો પરદ્રવ્યસ્વરૂપ હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથી-કરે છે, એવો વ્યવહારી જીવોનો વ્યામોહ (ભ્રાંતિ, અજ્ઞાન) છે.
ભાવાર્થઃ– ઘટ-પટ, કર્મ-નોકર્મ ઇત્યાદિ પરદ્રવ્યોને આત્મા કરે છે એમ માનવું તે વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે.
હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છેઃ-
‘જેથી પોતાના (ઇચ્છારૂપ) વિકલ્પ અને (હસ્તાદિની ક્રિયારૂપ) વ્યાપાર વડે આ આત્મા ઘટ આદિ પરદ્રવ્યસ્વરૂપ બાહ્ય કર્મને કરતો (વ્યવહારીઓને) પ્રતિભાસે છે