Pravachan Ratnakar (Gujarati). Gatha: 105.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1219 of 4199

 

ગાથા–૧૦પ

अतोऽन्यस्तूपचारः–

जीवम्हि हेदुभूदे बंधस्स दु पस्सिदूण परिणामं।
जीवेण कदं कम्मं भण्णदि उवयारमेत्तेण।। १०५ ।।
जीवे हेतुभूते बन्धस्य तु द्रष्टवा परिणामम्।
जीवेन कृतं कर्म भण्यते उपचारमात्रेण।। १०५ ।।

માટે આ સિવાય બીજો-એટલે કે આત્માને પુદ્ગલકર્મોનો કર્તા કહેવો તે-ઉપચાર છે, એમ હવે કહે છેઃ-

જીવ હેતુભૂત થતાં અરે! પરિણામ દેખી બંધનું,
ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ૧૦પ.

ગાથાર્થઃ– [जीवे] જીવ [हेतुभूते] નિમિત્તભૂત્ત બનતાં [बन्धस्य तु] કર્મ બંધનું [परिणामम्] પરિણામ થતું [द्रष्ट्वा] દેખીને, ‘[जीवेन] જીવે [कर्म कृतं] કર્મ કર્યું’ એમ [उपचारमात्रेण] ઉપચારમાત્રથી [भण्यते] કહેવાય છે.

ટીકાઃ– આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી ‘પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું’ એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી, ભ્રષ્ટ, વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી.

ભાવાર્થઃ– કદાચિત્ થતા નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ કહેવો તે ઉપચાર છે.

* * *
સમયસાર ગાથાઃ ૧૦પ મથાળું

માટે આ સિવાય બીજો-એટલે કે આત્માને પુદ્ગલકર્મોનો કર્તા કહેવો તે-ઉપચાર છે, એમ હવે કહે છેઃ-

* ગાથા ૧૦પઃ ટીકા ઉપરનું પ્રવચન *

આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે