कथमिति चेत्–
ववहारेण तह कदं णाणावरणादि जीवेण।। १०६ ।।
व्यवहारेण तथा कृतं ज्ञानावरणादि जीवेन।। १०६ ।।
હવે, એ ઉપચાર કઈ રીતે છે તે દ્રષ્ટાંતથી કહે છેઃ-
એમ જ કર્યાં વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬.
ગાથાર્થઃ– [योधः] યોદ્ધાઓ વડે [युद्ध कृते] યુદ્ધ કરવામાં આવતાં, ‘[राज्ञा कृतम्] રાજાએ યુદ્ધ કર્યું’ [इति] એમ [लोकः] લોક [जल्पते] (વ્યવહારથી) કહે છે [तथा] તેવી રીતે ‘[ज्ञानावरणादि] જ્ઞાનાવરણાદિ કર્મ [जीवेन कृतं] જીવે કર્યું’ [व्यवहारेण] એમ વ્યવહારથી કહેવાય છે.
ટીકાઃ– જેમ યુદ્ધપરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં, યુદ્ધપરિણામે પોતે નહિ પરિણમતા એવા રાજા વિષે ‘રાજાએ યુદ્ધ કર્યું’ એવો ઉપચાર છે, પરમાર્થ નથી; તેમ જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ કરવામાં આવતાં, જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે નહિ પરિણમતા એવા આત્મા વિષે ‘આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું’ એવો ઉપચાર છે, પરમાર્થ નથી.
ભાવાર્થઃ– યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં ‘રાજાએ યુદ્ધ કર્યું’ એમ ઉપચારથી કહેવાય છે તેમ પુદ્ગલદ્રવ્યે જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું હોવા છતાં ‘જીવે કર્મ કર્યું’ એમ ઉપચારથી કહેવાય છે.
હવે, એ ઉપચાર કઈ રીતે છે તે દ્રષ્ટાંતથી કહે છેઃ-
‘જેમ યુદ્ધપરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં,