अत एतत्स्थितम्–
आदा पोग्गलदव्वं ववहारणयस्स वत्तव्वं।। १०७ ।।
आत्मा पुद्गलद्रव्यं व्यवहारनयस्य वक्तव्यम्।। १०७ ।।
હવે કહે છે કે ઉપરના હેતુથી આમ ઠર્યુંઃ-
પુદ્ગલદરવને આતમા–વ્યવહારનયવક્તવ્ય છે. ૧૦૭.
ગાથાર્થઃ– [आत्मा] આત્મા [पुद्गलद्रव्यम्] પુદ્ગલદ્રવ્યને [उत्पादयति] ઉપજાવે છે, [करोति च] કરે છે, [बध्नाति] બાંધે છે, [परिणामयति] પરિણમાવે છે [च] અને [गृह्णाति] ગ્રહણ કરે છે-એ [व्यवहारनयस्य] વ્યવહારનયનું [वक्तव्यम्] કથન છે.
ટીકાઃ– આ આત્મા ખરેખર, વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય-એવા પુદ્ગલદ્રવ્યાત્મક (-પુદ્ગલદ્રવ્યસ્વરૂપ) કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી; અને વ્યાપ્ય- વ્યાપકભાવનો અભાવ હોવા છતાં પણ, “પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય-એવા પુદ્ગલ- દ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે” એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે.
ભાવાર્થઃ– વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મપણું કહેવું તે ઉપચાર છે; માટે આત્મા પુદ્ગલદ્રવ્યને ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, ઇત્યાદિ કહેવું તે ઉપચાર છે.
હવે કહે છે કે ઉપરના હેતુથી આમ ઠર્યુંઃ-
‘આ આત્મા ખરેખર, વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય-એવા પુદ્ગલદ્રવ્યાત્મક (-પુદ્ગલદ્રવ્યસ્વરૂપ) કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી;....’