Pravachan Ratnakar (Gujarati). Gatha: 8.

< Previous Page   Next Page >


PDF/HTML Page 124 of 4199

 


જીવ–અજીવ અધિકાર
ગાથા–૮

तर्हि परमार्थ एवैका वक्तव्य इति चेत्–

जह ण वि सक्कमणज्जो अणज्जभासं विणा दु गाहेदुं।
तह ववहारेण विणा परमत्थुवदेसणमसक्कं।।
८।।

यथा नापि शक्योऽनार्योऽनार्यभाषां विना तु ग्राहयितुम्।
तथा व्यवहारेण विना परमार्थोपदेशनमशक्यम्।।
८।।

હવે ફરી એ પ્રશ્ન ઊઠે છે કે જો એમ છે તો એક પરમાર્થનો જ ઉપદેશ કરવો જોઈએ; વ્યવહાર શા માટે કહો છો? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-

ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને,
વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. ૮.

ગાથાર્થઃ– [यथा] જેમ [अनार्यः] અનાર્ય (મ્લેચ્છ) જનને [अनार्यभाषां विना तु] અનાર્યભાષા વિના [ग्राहयितुम] કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા [न अपि शक्यः] કોઈ સમર્થ નથી [तथा] તેમ [व्यवहारेण विना] વ્યવહાર વિના [परमार्थोपदेशनम्] પરમાર્થનો ઉપદેશ કરવા [अशक्यम्] કોઈ સમર્થ નથી.

ટીકાઃ– જેમ કોઈ મ્લેચ્છને કોઈ બ્રાહ્મણ ‘સ્વસ્તિ’ એવો શબ્દ કહે છે ત્યારે તે મ્લેચ્છ એ શબ્દના વાચ્યવાચક સંબંધના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતાં બ્રાહ્મણ સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે, પણ જ્યારે બ્રાહ્મણની ભાષા અને મ્લેચ્છની ભાષા-એ બન્નેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ અથવા તે જ બ્રાહ્મણ મ્લેચ્છભાષા બોલીને તેને સમજાવે છે કે ‘સ્વસ્તિ’ શબ્દનો અર્થ “તારું અવિનાશી