तर्हि परमार्थ एवैका वक्तव्य इति चेत्–
तह ववहारेण विणा परमत्थुवदेसणमसक्कं।।
तथा व्यवहारेण विना परमार्थोपदेशनमशक्यम्।। ८।।
હવે ફરી એ પ્રશ્ન ઊઠે છે કે જો એમ છે તો એક પરમાર્થનો જ ઉપદેશ કરવો જોઈએ; વ્યવહાર શા માટે કહો છો? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-
વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. ૮.
ગાથાર્થઃ– [यथा] જેમ [अनार्यः] અનાર્ય (મ્લેચ્છ) જનને [अनार्यभाषां विना तु] અનાર્યભાષા વિના [ग्राहयितुम] કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા [न अपि शक्यः] કોઈ સમર્થ નથી [तथा] તેમ [व्यवहारेण विना] વ્યવહાર વિના [परमार्थोपदेशनम्] પરમાર્થનો ઉપદેશ કરવા [अशक्यम्] કોઈ સમર્થ નથી.
ટીકાઃ– જેમ કોઈ મ્લેચ્છને કોઈ બ્રાહ્મણ ‘સ્વસ્તિ’ એવો શબ્દ કહે છે ત્યારે તે મ્લેચ્છ એ શબ્દના વાચ્યવાચક સંબંધના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતાં બ્રાહ્મણ સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે, પણ જ્યારે બ્રાહ્મણની ભાષા અને મ્લેચ્છની ભાષા-એ બન્નેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ અથવા તે જ બ્રાહ્મણ મ્લેચ્છભાષા બોલીને તેને સમજાવે છે કે ‘સ્વસ્તિ’ શબ્દનો અર્થ “તારું અવિનાશી